આપનું સ્વાગત છે ટીમ અડાજણ ઓફિસિયલ વેબપેજ પર, હવે સમર્પણ ધ્યાન પરિવાર અડાજણ ઝોન સુરતને લગતી તમામ માહિતીઓ ડાઉનલોડ કરો, તાઝા સમાચાર મેળવો, તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમોના 4k ફોટો તથા વિડિયો નિહાળો તથા ઘણું બધું

અનુક્રમણિકા

નોંધ : આપને જે વિષય પર માહિતી જોઈએ છે તે વિષય પર ઉપરની અનુક્રમણિકામાં ક્લિક કરવાથી સીધા જ ત્યાં પહોંચી જશો

Team Adajan Logo
ટીમ અડાજણ
One Team, One Dream, One Mission!
Team Adajan Logo
ટીમ અડાજણ
One Team, One Dream, One Mission!
શ્રી શિવકૃપાનંદ સ્વામીજી તથા વંદનીય ગુરુમાં

સમર્પણ અડાજણ ટીમ દ્વારા અનેક સામાજિક કલ્યાણ માટેની પ્રવૃત્તિìઓ થાય છે. જેમકે દરરોજ ચાલતા નિ:શુલ્ક ધ્યાન સેન્ટરો, દર રવિવારે સમૂહ ધ્યાનના સેન્ટરો, નિ:શુલ્ક આઠ દિવસીય ધ્યાન શિબીરો, દર અઠવાડિયે એક વાર બાળકેન્દ્ર ,મહિનામાં ત્રણ વાર સાધના શિબીરો, ભજન સત્સંગના પ્રોગ્રામ વગેરે જે બધી જ પ્રવૃત્તિઓ સંપૂર્ણ નિ:શુલ્ક હોય છે. જેમની વિસ્તારથી માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે તો તેનો આપ પણ અવશ્ય લાભ લ્યો તથા બીજા સાધકો સુધી પણ વધારે ને વધારે આ વેબસાઈટને શેર કરી અને માહિતી પહોંચાડો. ધન્યવાદ, જય બાબા સ્વામી…

0
ટીમ અડાજણ

0
બાળસંસ્કાર કેન્દ્ર

0
ધ્યાન સેન્ટર

0 +
એક્ટિવ કાર્યકર્તાઓ

0 +
સાધક સંખ્યા

દરરોજ ચાલતા ધ્યાન સેન્ટરોની યાદી અડાજણ ઝોન

બોનીટોવિલા ધ્યાન સેન્ટર

14, “ગુરુછાયા”, બોનીટોવિલા, મીરાબાઈ એસ.એમ.સી. ગાર્ડનની બાજુમાં, જહાંગીરપુરા, સુરત.
રાત્રે 8:30 થી 9:15
મોબાઈલ: 9601263900
બીનાબેન પટેલ

મિથિલા નગરી ધ્યાન સેન્ટર

13, મિથિલા નગરી રો-હાઉસ, મધુવન સર્કલ, અડાજણ, સુરત
સાંજે 7:15 થી 8:00 તથા સવારે 5:45 થી 6:30
મોબાઈલ: 9427820675
ઉમેશભાઈ પરમાર, રાકેશભાઈ પટેલ

મુક્તાનંદ ધ્યાન સેન્ટર

13, મુકતાનંદ સોસાયટી, સરસ્વતી સ્કૂલની પાસે, પાલનપુર પાટિયા, અડાજણ.
રાત્રે 8:30 થી 9:15
મોબાઈલ: 9904983361
મમતાબેન પટેલ

શ્રી તપનાથ મહાદેવ ધ્યાન સેન્ટર

શ્રી તપનાથ મહાદેવ મંદિર, પાલનપુર ગામ, અડાજણ.
રાત્રે 8:15 થી 9:00
મોબાઈલ: 9428294554
યશોમતીબેન રાણા

આનંદ નગર ધ્યાન સેન્ટર

B-35, આનંદ નગર સોસાયટી, મોરાભાગળ, રાંદેર, સુરત.
સવારે 6:00 થી 6:45
મોબાઈલ: 9879565733
કિરીટભાઈ ઈશ્વરભાઈ પટેલ
Click Here to Explore More Centres વધુ સેન્ટરોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો Beautiful Gujarati Card Design
સૂચના
અડાજણ સુરતના બધા ધ્યાન સેન્ટરોનું આખું લીસ્ટ ગુજરાતીમાં જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો
Four Language Cards for WordPress
શ્રી

अडाजण सूरत के सभी ध्यान केन्द्रो की सूची को हिंदी में देखने के लिए नीचे दिए गए बटन पर क्लिक करें

हिंदी के लिए

Click on the button below to see the complete list of all meditation centers in Adajan Surat in English.

FOR ENGLISH

अडाजन सुरतमधील सर्व ध्यान केंद्रांची संपूर्ण यादी मराठीत पाहण्यासाठी खालील बटणावर क्लिक करा.

मराठी साठी →

ଓଡ଼ିଆର ଆଡାଜାନ ସୁରଟରେ ଥିବା ସମସ୍ତ ଧ୍ୟାନ କେନ୍ଦ୍ରର ସମ୍ପୂର୍ଣ୍ଣ ତାଲିକା ଦେଖିବା ପାଇଁ ତଳେ ଥିବା ବଟନ ଉପରେ କ୍ଲିକ୍ କରନ୍ତୁ।

ଓଡିଆ ପାଇଁ

સમૂહ ધ્યાન કેન્દ્રો અડાજણ ઝોનની યાદી


બાળ સંસ્કાર કેન્દ્રો અડાજણ ઝોનની યાદી

બાળ સંસ્કાર કેન્દ્રો અડાજણ ઝોનની યાદી

કંકુનગર બાળસંસ્કાર કેન્દ્ર
સરનામું:ઘર નંબર 14, કંકુ નગર સોસાયટી, અડાજણ ગામ, સુરત
સમય:દર શનિવારે સાંજે 5:30 થી 6:30
મોબાઇલ:+91 9427824750
ભાતફળિયા બાલ સંસ્કાર કેન્દ્ર
સરનામું:ભાત ફળિયા, અંબાજી ચકલા, મોરાભાગળ, રાંદેર
સમય:દર શનિવારે સાંજે 7:00 થી 8:00
પિકનિક પાર્ક બાલ સંસ્કાર કેન્દ્ર
સરનામું:33, પિકનિક પાર્ક સોસાયટી, નવયુગ કોલેજની બાજુમાં, તરાવડી, અડાજણ
સમય:દર શનિવારે સાંજે 7:00 થી 8:00
મોબાઇલ:+91 9638115159
નર્મદેશ્વર બાલ સંસ્કાર કેન્દ્ર
સરનામું:21, ૠતંભરા સોસાયટી, મોરા ભાગળ, રાંદેર
સમય:દર શનિવારે 6:00 થી 7:00
મોબાઇલ:+91 9979984703
સારોલી ગામ બાલ સંસ્કાર કેન્દ્ર
સરનામું:60, સાંઈ રેસીડેન્સી, સાંઈ મંદિરની બાજુમાં, સારોલી ગામ, તાલુકો ઓલપાડ, અડાજણ ઝોન, સુરત
સમય:દર રવિવારે સાંજે 5:00 થી 6:00
મોબાઇલ:+91 8238281803
દિવાળીબાગ બાલ સંસ્કાર કેન્દ્ર
સરનામું:દિવાળી બાગ હોલ, વૃષભ ટાવર ની બાજુમાં, રાંદેર
સમય:દર રવિવારે સાંજે 4:00 થી 5:00
મોબાઇલ:+91 9537303907
પિસાદ ગામ બાળ સંસ્કાર કેન્દ્ર
સરનામું:ઘર નંબર ૧, પિસાદ ગામ, જહાંગીરપુરા, સુરત
સમય:દર શનિવારે સાંજે 06:00 થી 07:00
મોબાઇલ:+91 8320379152
કંકુનગર બાળ સંસ્કાર કેન્દ્ર અડાજણ
મોરા ભાગલ બાળ સંસ્કાર કેન્દ્ર અડાજણ

આપણા અડાજણ વિસ્તારમાં કુલ સાત બાળસંસ્કાર કેન્દ્રો નિયમિત રૂપે ચાલે છે આમાંથી પાંચ બાળકેન્દ્રો દર શનિવારે તથા બે બાળકેન્દ્ર દર રવિવારે હોય છે આ બાળકેન્દ્રો એક કલાક સુધી ચાલે છે આ કેન્દ્રનું સંચાલન સાધક બહેનો દ્વારા ખૂબ જ ભાવથી કરવામાં આવે છે

ભાત ફળિયા બાળ સંસ્કાર કેન્દ્ર અડાજણ
શ્રીમતી શીલાબેન શાસ્ત્રી બાળ સંસ્કાર કેન્દ્ર અડાજણ હેડ
દિવાળી બાગ બાળ સંસ્કાર કેન્દ્ર અડાજણ

જેમાં દીપ પ્રાગટ્યથી શરૂઆત કરી અને ગુરુઆહવાન સામુહિકતામાં કરવામાં આવે છે ત્યારબાદ અન્ય કાર્યક્રમો જેવા કે ધ્યાન, એરોબિક એક્સરસાઇઝ ફોર ચિલ્ડ્રન, ડાન્સ ઓન મ્યુઝિક, વાર્તા, બાલગીત, શ્લોક, ચિલ્ડ્રન ક્રાફ્ટ એક્ટિવિટીઝ, રમતગમત, યોગા પ્રાણાયામ કરાવવામાં આવે છે અને છેલ્લે શાંતિ પાઠ કરી અને આ કેન્દ્રની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આ બાળ કેન્દ્રમાં 5 વર્ષથી 14 વર્ષની ઉંમરના દરેક બાળકો ભાગ લઈ શકે છે આ બાળસંસ્કાર કેન્દ્રોનો સમય એડ્રેસ તથા કોન્ટેક્ટ નંબર માટે નીચેની ફાઈલ ડાઉનલોડ કરો

સરોલી બાળ સંસ્કાર કેન્દ્ર અડાજણ
Pendulum with Chakras

વારંવાર સૂર્યનાડી તથા ચંદ્રનાડીમાં ભટકતા અસ્થિર ચિતની સ્થીતી

સૂર્યનાડી
ચંદ્રનાડી
મધ્યનાડી
સહસ્ત્રાર ચક્ર
આજ્ઞા ચક્ર
વિશુદ્ધિ ચક્ર
હૃદય ચક્ર
નાભિ ચક્ર
સ્વાદિષ્ઠાન ચક્ર
મુલાધાર ચક્ર

સ્થિર મધ્યનાડીમાં ચિતની સ્થિતી

સૂર્યનાડી
ચંદ્રનાડી
મધ્યનાડી
સહસ્ત્રાર ચક્ર
આજ્ઞા ચક્ર
વિશુદ્ધિ ચક્ર
હૃદય ચક્ર
નાભિ ચક્ર
સ્વાદિષ્ઠાન ચક્ર
મુલાધાર ચક્ર

देखो बच्चों, उपर जो दो डायाग्राम दिए हुए हैं उनसे हम चित की स्थिति पर ध्यान के प्रभाव को जानने की कोशिश करेंगे। मान लो की उपरके डायाग्राम में जो येल्लो कलर का पेंडुलम दाए से बाए और बाए से दाए जा रहा है वह हमारा चित है। पहले डायग्राम में चित अस्थिर है और दाएं से बाएं और बाएं से दाएं यानी कि सूर्यनाडी और चंद्रनाडी में बारी-बारी से जा रहा है लेकिन दूसरे डायग्राम में चित स्थिर है, शांत है और मध्यनाडी में स्थित है जो एक योगी की चित की स्थिति दर्शाता है। स्वामीजी अक्षर अपनी ध्यान शिवीरमें बताते हैं कि पुराने जमाने की घड़ी में पेंडुलम रहते थे जिनको लोलक भी बोलते हैं। वह पेंडुलम दाएं से बाएं और बाएं से दाएं कंटिन्यू जाता रहता है। वैसे ही स्वामीजी ने बताया कि यदि हमारा चीत भूतकाल में यानी कि चंद्रनाडी में गया तो उतने ही टाइम तक सूर्यनाडी में भी जाएगा। मतलब लेफ्ट साइड यानी चंद्रनाडी में गया उतना ही राइट साइड यानी सूर्यनाडी में चीत जाएगा मतलब चित स्थिर नहीं रहेगा और यदि हम निर्विचार बनेंगे तो हमारा चित्त सिर्फ मध्यनाड़ी में रहेगा। तो कहने का मतलब यह है कि यदि हम भूतकाल से दुखी होंगे तो भविष्य की चिंताएं भी उतनी ही सताएगी। लेकिन मध्य में रहेंगे तो ना तो भूतकाल है ना ही भविष्य है और चित को मध्य में रखने के लिए आज के युग में ध्यान की अति आवश्यकता है। तो नियमित ध्यानकेंद्र पर जाकर ध्यान करने से धीरे-धीरे हमारा चित सूर्यनाडी और चंद्रनाडी में जाना बंद हो जाएगा और चित मध्यनाडी में स्थिर हो जाएगा जैसे कि दूसरे डायग्राम में दिखाया गया है।

પિકનિક પાર્ક બાળ સંસ્કાર કેન્દ્ર અડાજણ

સાધના શિબિર અડાજણ ઝોન વિશે માહિતી

સાધના શિબિર એટલે સાધના અને ગુરુકાર્યનો અનેરો સંગમ. દાંડી સમર્પણ આશ્રમ ની પવિત્ર ભૂમિ પર સાધના કરવાનો સાથે સાથે ગુરુકાર્ય કરવાનું અમૂલ્ય અવસર અમૂલ્ય લાભ. સાધના શિબિર બે દિવસની હોય છે. ત્યાં રાત્રી રોકાણ આશ્રમમાં કરવાનું હોય છે. સાધકો માટે આ બે દિવસની યાત્રા જ છે જેનું તીર્થક્ષેત્ર છે દાંડી આશ્રમ. આ શિબીર માટે સાધકો બપોર પછી સુરતથી દાંડિ આશ્રમ જવા નીકળે છે અને ત્યાં સાંજે શ્રી મંગલમૂર્તિના સાનિધ્યમાં ગુરુશક્તિધામનું ધ્યાન તથા આશ્રમના ભોજનપ્રસાદનો લાભ મેળવે છે. ત્યારબાદ આશ્રમમાં રાત્રીમાં જો ભજનનો કાર્યક્રમ હોય તો તેનો પણ લાભ મળે છે અને બીજે દિવસે સવારે ફરીથી ગુરુશક્તિધામમાં મંગલમૂર્તિના સાનિધ્યમાં ધ્યાન તો ખરું જ. તથા વિનામૂલ્યે ગાયત્રી યજ્ઞનો પણ લાભ મળે છે. ફક્ત અનુષ્ઠાન દરમિયાન જ આ યજ્ઞમાં બેસવા માટે ચાર્જ લેવામાં આવે છે.

ત્યારબાદ આશ્રમમાં અલગ અલગ ગુરુકાર્ય કરવાનો પણ મોકો મળે છે. તથા આમાં પંચતત્વોનું ચિતશુદ્ધિ ધ્યાન પણ કરાવવામાં આવે છે. સમુદ્રના સાનિધ્યમાં, ભૂમિ માતાના સાનિધ્યમાં, અગ્નિ દેવતાના સાનિધ્યમાં, જળદેવતાના સાનિધ્યમાં, વાયુ દેવતાના સાનિધ્યમાં સાધના કરવામાં આવે છે.  ત્યાર પછી બીજા દિવસે છેલ્લે ફરી શ્રી મંગલમૂર્તિના સાનિધ્યમાં ધ્યાન કરવામા આવે છે આવી રીતે ત્રણ વાર મંગલમૂર્તિના સાનિધ્યમાં ધ્યાન તથા રામકાકા ની કુટીરની બાજુમાં પણ ધ્યાનનો મોકો મળે છે બધો કાર્યક્રમ અટેન્ડ કરી સાંજે સાધકો 4 થી 6 ના સમયમા દાંડિ આશ્રમથી સુરત આવવા માટે પ્રયાણ કરે છે.

આ આખા કાર્યક્રમમાં ફક્ત સાધકોને આવવા જવા માટે અંદાજે વાહન ભાડું ₹300 જેવું લાગે છે બાકીનું બધું નિશુલ્ક હોય છે.આ કાર્યક્રમ અડાજણમાંથી મહિનામાં ત્રણ વાર થાય છે. ઓલ્ડ સીટી અડાજનના સાધકો માટે દર મહિનાની 15 થી 16 તારીખ માટે, મિથિલા નગરી સેન્ટરની આસપાસના સાધકો માટે દર મહિનાની 16 થી 17 તારીખ તથા જહાંગીરપુરાના સાધકો માટે તારીખ 30 થી 31 ઉપર આ સાધના શિબિરનું આયોજન થાય છે. જો તમે પણ આમાં જોડાવા માગતા હોય અથવા વધુ માહિતી જોતી હોય તો કૃપા કરી પોતાના એરિયાના સાધના શિબિર હેડનો સંપર્ક કરો જેમના નામ તથા કોન્ટેક નંબર નીચે પ્રમાણે છે.

નામવિસ્તારમોબાઈલ
નીલાબેન પટેલજહાંગીરપુરા8469777887
અલ્પાબેન વૈશ્નાણીઅડાજણ8160428679
જનકભાઈ બલેશ્વરીયાઓલ્ડ સિટી9825018964
સાધના શિબિર હેડ

યુવા સંમેલન અડાજણ ઝોન

સમર્પણ પરિવાર અડાજણ સુરત દ્વારા મહિનામાં એકવાર યુવામીટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુરુતત્વ ટીમ દ્વારા આપવામાં આવેલા સિલેબસ પ્રમાણેનો કાર્યક્રમ હોય છે. જેમાં 15 વર્ષથી 40 વર્ષની વચ્ચેની ઉમરના સાધક ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકે છે.
જેમનો સમય રાત્રે 8 થી 9 એમ એક કલાકનો હોય છે.
જેમનું એડ્રેસ નીચે મુજબ છે.
શ્રી રાજભાઈ પટેલના ઘરે, વેસ્ટર્ન સેવન સીઝ બંગ્લોઝ, ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, અડાજણ, સુરત.
આગામી યુવામીટની તારીખ છે 29/04/2025 અને શનિવાર. જેમાં અડાજણના દરેક યુવક તથા યુવતીઓએ અવશ્ય ભાગ લેવો.
યુવામીટ વિશે વધુ માહિતી માટે શ્રીમતી શ્વેતાબેન મોદીનો અવશ્ય સંપર્ક કરો MO : 9909427290


સત્સંગ તથા ભજન ટીમ અડાજણ ઝોન

તમે તમારા ઘરે અથવા કોઈ સાર્વજનિક હોલમાં સમર્પણ ભજન અથવા સત્સંગનો કાર્યક્રમ ગોઠવી શકો છો. હાલમાં જ આ 45 દિવસ અનુષ્ઠાનમાં સાંજે સાત થી આઠ ના સમયમાં તમે પણ તમારા ઘરે સત્સંગનો પ્રોગ્રામ રાખી શકો છો

જેમાં સત્સંગ ટીમ તમારા ઘરે આવી અને ગુરુદેવના સત્સંગ કરશે તેમાં કોઈ ચા પાણી નાસ્તો ફરજિયાત નથી અથવા તેનો કોઈ ચાર્જ પણ નથી. તો હાલમાં જો તમે સત્સંગ નો પ્રોગ્રામ રાખવા માગતા હોય તો આચાર્યાશ્રી શ્રીમતી દીપિકાબેન પટેલનો સંપર્ક કરો. આ સિવાયના સમયમાં તમારા ઘરે જો ભજન રાખવા માગતા હોય તો નીચેના કોઓર્ડીનેટર નો સંપર્ક કરો

સમર્પણ ભજન મંડળ કો-ઓર્ડીનેટર : અપેક્ષાબેન પટેલ, સેજલબેન પટેલ

સમર્પણ મહિલા કો-ઓર્ડીનેટર અડાજણ : રશ્મિબેન પટેલ, અપેક્ષાબેન પટેલ

સત્સંગ સભા ને સંબોધતા હસુકાકા

અડાજણ ઝોન આચાર્ય કોન્ટેક્ટ

અડાજણ ઝોનની હિમાલયન મેડીટેશનની વધુ માહિતી માટે તથા જો આપ પણ ગુરુકાર્ય કરવા માગતા હોય તો અડાજન ઝોનના આચાર્યનો અવશ્ય કોન્ટેક્ટ કરો

ટીમ અડાજણ આચાર્ય
ટીમ અડાજણ આચાર્યા

અડાજણ ઝોનમાં ચાલી રહેલા ગુરુકાર્ય વિશે વધુ ડિટેલમાં માહિતી જોતી હોય તો ખૂબ જ બોહળા અનુભવી એવા અડાજણના પૂર્વ આચાર્યનો પણ આપશ્રી અવશ્ય સંપર્ક કરી શકો છો

ટીમ અડાજણ પૂર્વ આચાર્ય
ટીમ અડાજણ પૂર્વ આચાર્યા

અડાજણ ઝોનમાં જો તમે પણ સમર્પણ ધ્યાનનો પ્રચાર-પ્રસાર કરવા માગતા હોય અને ગુરુકાર્યમાં યોગદાન આપવા માગતા હોય તો અડાજણ ઝોનના આચાર્ય સંકુલ સભ્યોનો પણ તમે અવશ્ય સંપર્ક કરી શકો છો

આચાર્ય સંકુલ અડાજણ
આચાર્ય સંકુલ અડાજણ
ટીમ અડાજણ કિચન કો-ઓર્ડીનેટર

જો તમે પણ તમારી આસપાસના એરિયામાં અથવા તમારા ઘરે આ પ્રકારની નિ:શુલ્ક ધ્યાનયોગ શિબિરનું આયોજન કરવા માગતા હોય તો શિબિર અધ્યક્ષ અડાજણ ઝોનનો અવશ્ય કોન્ટેક્ટ કરો

આચાર્ય સંકુલ અડાજણ
ટીમ અડાજણ મેગા શિબિર અધ્યક્ષ

Video Shibir Progress till 26th February 2025

10 %


ટીમ અડાજણ એન્થમ સોંગ


ભાગ 2
અડાજણ ઝોનમા તાજેતરમાં થયેલા પ્રોગ્રામો વિશે માહિતી તથા ફોટોગ્રાફ્સ

જુન-2025 વિડીયો શિબિર

માઘપૂર્ણિમાનો મહાસત્સંગ-2025


મેગાશિબિર અડાજણ ઝોન જાન્યુઆરી-2025

સુરતમા અડાજણ ઝોનના જહાંગીરપુરા ખાતે 9 દિવસીય ભવ્ય હિમાલયન ધ્યાનયોગ મેગા શિબિરનુ સફળતાપુર્વક સમાપન, દરરોજ 600 થી વધારે લોકોએ લીધો ધ્યાન,અનુભુતી અને ભોજનપ્રસાદ નો લાભ.

Beautiful Gujarati Card Design
સૂચના
અડાજણ સુરતના બધા ધ્યાન સેન્ટરોનું આખું લીસ્ટ ગુજરાતીમાં જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો

આઠ દિવસીય યોગ શિબિર: આરોગ્ય અને માનસિક શાંતિ તરફનો એક મજબૂત પગલું

સંતુલિત જીવનશૈલી અને આરોગ્ય માટે ધ્યાનયોગ એ આજે આવશ્યક બની ગયો છે. તાજેતરમાં, સુરતના જહાંગીરપુરા વિસ્તારના મધુવન પાર્ટી પ્લોટ માં આઠ દિવસીય ધ્યાનયોગ મેગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ, જ્યાં અનેક ધ્યાન પ્રેમીઓએ ભાગ લીધો. આ શિબિર માત્ર યોગાભ્યાસ માટે જ નહીં પરંતુ જીવનમાં ધ્યાન, મનોશાંતિ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રત્યેની જાગૃતિ લાવવાનું મુખ્ય ઉદ્દેશ સાથે કરવામા આવી હતી.

Invitation Video

સુરતમાં સમર્પણ પરિવાર ટીમ અડાજણ દ્વારા તારીખ 05/01/2025 રવિવાર ના રોજ બાળશિબિર તથા તારીખ 06/01/2025 સોમવાર થી 13/01/2025 સોમવાર એમ આઠ દિવસ સુધી ધ્યાનયોગ મેગા શિબિરનું આયોજન થયું. આ શિબિર નો સમય સાંજના 6:30 થી 9:00 વાગ્યા સુધીનો હતો આમાં દરરોજ 600 થી વધારે લોકોએ ધ્યાન, ચૈતન્ય અને ભોજનપ્રસાદનો આનંદ લીધો હતો. આ શિબિરની તમામ વ્યવસ્થા નિ:શુલ્ક હતી.

આ મેગા કાર્યક્રમોમાં કાંઈ કચાસ બાકી ના રહે તથા આવનાર શિબિરાર્થી રૂપી મહેમાનોને કોઈ અગવડતા ના પડે તે માટે તારીખ 04/01/2025 ના રોજ સાંજે 06:00 વાગે મધુવન પાર્ટી પ્લોટ પર અડાજન ઝોનના એક્ટિવ કાર્યકર્તાઓની એક મીટીંગનું પણ આયોજન થયું હતું જેમાં આગળના નવ દિવસ સુધી એટલે કે રવિવારે બાળશિબિર તથા સોમવાર થી સોમવાર આઠ દિવસીય મેગાશિબિરના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી. જેમાં ટીમ અડાજણ આચાર્યશ્રી પ્રવીણભાઈ મોદી,શિબિર અધ્યક્ષા શ્રીમતિ ભાનુમતિબેન સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલે કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટીમ અડાજણ શિબિર કોઓર્ડીનેટર શ્રી ધર્મેશભાઈ પટેલે શિબિરની ટેકનિકલ બાબત એલઇડી સ્ક્રીન તથા સાઉન્ડ સિસ્ટમ વગેરે માટેની માહિતી પૂરી પાડી હતી તથા કિચન કોઓર્ડીનેટર શ્રી મિતેશભાઇ પટેલે દરેક શિબિરાર્થીને આગળના નવ દિવસ સુધી સ્વાદિષ્ટ અને સાથે સાથે સુપાચ્ય ભોજનપ્રસાદ મળે તે માટેનુ મેનુ તૈયાર કરી અને સાધકો સમક્ષ મૂક્યું હતું તથા શિબિરાર્થીઓને ભોજન પ્રસાદ દરમિયાન ઓછામાં ઓછી અગવડતા પડે તેના માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા આચાર્યશ્રી પ્રવીણભાઈ મોદીએ દરેક સાધકોએ ઉત્સાહથી મેગાશિબિરનું પ્રચાર કાર્ય કર્યું તેની પ્રશંસા હતી. ત્યારબાદ શ્રી દિવ્યેશભાઈ તન્નાએ આ મેગા શિબિરના પ્રચારકાર્ય દરમિયાન તેમને આવેલી અલગ અલગ અનુભૂતિઓ દરેક સાધકો સાથે શેર કરી હતી કે કેવી રીતે ગુરુકાર્ય દરમિયાન ગુરુશક્તિઓ આપણી સાથે જ હોય છે.

નવ દિવસીય ધ્યાનયોગ મેગા શિબિરનો પ્રારંભ

બાળશિબિર

જીરે આજની ઘડી રે રળિયામણી,
મારો વા’લો આવ્યાની વધામણી રે…..ટેક.

જીરે તરિયા તોરણ તે બંધાવિયાં રે,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે— જીરે આજની. ૧.

જીરે કમ્કુ એસરની ગાર કરાવી મેંરે;
ઝીણી કસ્તુરીની ચોકડી ઓઅડાવિયેરે— જીરે આજની. ૨.

જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયારે,
મારા વાલાજીનો મંડપ રચાવિયે રે— જીરે આજની. ૩.

જી રે પૂર્યો પૂર્યો સુહાગણ સાથિયોરે;
વાલો આવે મલપતો હાથિયો રે— જીરે આજની. ૪.

જી રે ગંગા-જમુનાના નીર મંગાવિયેરે,
મારા વાલાજીનાં ચરણ પખાળિયે રે— જીરે આજની. ૫.

જી રે સોનાં રૂપાંની થાળી મંગાવિયેરે;
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે— જીરે આજની. ૬.

જી રે તન, મન, ધન, ઓવારિયેરે;
મારા વાલાજીની આરતી ઉતારીયે રે— જીરે આજની. ૭.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડોરે,
મે’તા નરસૈંયાનો સ્વામી દીઠડો રે— જીરે આજની. ૮.

નરસિંહ મહેતા

બસ પછી એ દિવસ આવી ગયો જેમની આતુરતાથી રાહ જોવાતી હતી મતલબ કે ધ્યાનયોગ મેગા શિબિરની શરૂઆત. આ નવ દિવસિય શિબિરની શરૂઆત બાળશિબિરથી થઈ હતી. આ બાળશિબિર તારીખ 05/01/2025 અને રવિવારના દિવસે આયોજિત હતી. જેમનો સમય સાંજના 06:30 થી 08:15 વાગ્યાનો હતો અને સ્થળ મધુવન પાર્ટી પ્લોટ, જહાંગીરપુરા હતું.

શ્રીમતી બીનાબેન પટેલ (સંચાલક બોનીટોવિલા સેન્ટર) તેમની સ્ટેજ ડેકોરેશનની ટીમ સાથે

કાર્યકર્તાઓએ શિબિર ચાલુ થતા પહેલા પૂરી તૈયારી કરી લીધી હતી. બાળકો માટે નીચે બેસવા ના પાથરણ તથા તેમના વાલીઓ માટે ખુરશીની વ્યવસ્થા કરેલી હતી બહેનોએ ભાવથી ગુરુદેવના સુક્ષ્મ શરીરના ફોટોને ગુલાબજળ થી સ્નાન કરાવ્યું હતું ગુરુદેવને પણ તિલક કર્યું હતું તથા ફૂલોનો હાર ચડાવ્યો હતો આજે એ ફૂલો પણ પોતાના જીવનને સાર્થક સમજતા હતા કે મુર્જાતા પહેલા અમે પણ ગુરુદેવની આ શિબિરમાં કાંઈક ગુરુકાર્ય કરી શક્યા, તાજા દેશી ગુલાબના પુષ્પો સાધકોએ સ્વામીજી ના ફોટા સમક્ષ સમર્પિત કર્યા હતા એવી રીતે નાના બાળકો રૂપી પુષ્પો જે આજે ગુરુદેવને સમર્પિત થવા આવી રહ્યા હતા તેમની બધાને આતુરતાથી પ્રતીક્ષા હતી તથા બહેનોએ સૂક્ષ્મ શરીરના ફોટો સમક્ષ સુંદર મજાની રંગોળી બનાવી હતી જાણે રંગોળી નો પ્રત્યેક રંગ કેતો હતો કે તમે પણ જો નિયમિત ધ્યાન કરશો તો તમારું જીવન પણ રંગોથી ભરાઈ જશે.

કાર્યકર્તાઓએ શિબિર ચાલુ થતા પહેલા પૂરી તૈયારી કરી લીધી હતી. બાળકો માટે નીચે બેસવા ના પાથરણ તથા તેમના વાલીઓ માટે ખુરશીની વ્યવસ્થા કરેલી હતી બહેનોએ ભાવથી ગુરુદેવના સુક્ષ્મ શરીરના ફોટોને ગુલાબજળ થી સ્નાન કરાવ્યું હતું ગુરુદેવને પણ તિલક કર્યું હતું તથા ફૂલોનો હાર ચડાવ્યો હતો આજે એ ફૂલો પણ પોતાના જીવનને સાર્થક સમજતા હતા કે મુર્જાતા પહેલા અમે પણ ગુરુદેવની આ શિબિરમાં કાંઈક ગુરુકાર્ય કરી શક્યા, તાજા દેશી ગુલાબના પુષ્પો સાધકોએ સ્વામીજી ના ફોટા સમક્ષ સમર્પિત કર્યા હતા એવી રીતે નાના બાળકો રૂપી પુષ્પો જે આજે ગુરુદેવને સમર્પિત થવા આવી રહ્યા હતા તેમની બધાને આતુરતાથી પ્રતીક્ષા હતી તથા બહેનોએ સૂક્ષ્મ શરીરના ફોટો સમક્ષ સુંદર મજાની રંગોળી બનાવી હતી જાણે રંગોળી નો પ્રત્યેક રંગ કેતો હતો કે તમે પણ જો નિયમિત ધ્યાન કરશો તો તમારું જીવન પણ રંગોથી ભરાઈ જશે.

સાધકો માટે તો આ મેગા શિબિર એટલે ઘર આંગણે કોઈ રૂડા અવસર જેવું લાગતું હતું આસોપાલવના તથા ફૂલોના તોરણ અને ધજા પતાકડા, ઝુમ્મર થી મેદાન શોભતું હતું જાણે અહીં બાળકો જાનૈયા તો સાધકો માનૈયા બન્યા હતા અને આત્મા તથા પરમાત્માનું મિલન થવા જઈ રહ્યું હતું બધા સાધકો સજી-ધજીને આવ્યા હતા.

બસ પછી સાંજના સમયે નાના નાના ભૂલકાઓની કીકીયારીથી ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. શિબિર સ્થળ પર પ્રત્યેક બાળકના કપાળ પર ચંદનનું તિલક કરી તેમના પર ગુલાબજળ, ઈત્ર તથા ફૂલોની પાંખડીઓ છાંટી અને તેમનું હૃદયથી સ્વાગત કરવામાં આવ્યું હતું . આજે દરેક બાળક ઈશ્વરનું સાક્ષાત રૂપ લાગી રહ્યું હતું.

શિયાળાની સાંજ હતી એટલે આજે સૂર્યદેવતા વહેલા જ ધીમે ધીમે કરીને આખા ગાયબ થઈ ગયા હતા. પક્ષીઓના બચ્ચા તેમના માળામાંથી માથું ઊંચું કરીને તેમના મા-બાપની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે તેમના માટે દાણા લેવા ગયા હતા. તેવી જ રીતે જાણે આ નાના બાળકો પણ આજે સાંજે તેમના માતા પિતા સમાન ગુરુદેવના આગમનની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. સાંજના ટાણે જેવી રીતે એક વાછરડું ગોવાળિયાની પ્રતીક્ષા કરે છે કે ક્યારે મારી મા ને લઈને તે આવે અને હું તેમનું દૂધ પીવું તેવી રીતે આ બાળકોની વાછરડારૂપિ આત્મા પણ ગુરુદેવની ગાય સમાન આત્માનું ચૈતન્યરૂપી દૂધ પીવા સાંજના ટાણે ગુરુદેવની પ્રતીક્ષા કરી રહી હતી. ગામના શિવ મંદિરની સંધ્યા ટાણેની આરતીની ધીમી ઝાલર સંભળાતી હતી. જેવી રીતે શિવજીએ સમુદ્રમંથનમાંથી નીકળેલું ઝેર પીધું હતું તેવી રીતે ગુરુદેવ પણ આજે બાળકોના શરીરના ચક્રો તથા આભામંડળમાં દૂષિત ઉર્જારૂપે રહેલા ઝેરને પીવાના હતા. શિબિર શરૂ થતા પહેલા સાંજના સમયે એક ગાયમાતાના પવિત્ર છાણાનો ધૂપ પ્રગટાવી અને શિબિર સ્થળના આખા મેદાનમાં ફેરવવામાં આવતો હતો જેની હજુ પણ આછી-આછી ગુગળની સુગંધ વાતાવરણને એક દિવ્યતા પ્રદાન કરતી હતી. શિબીરની શરૂઆત આવેલા માનનીય મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્યથી થઈ હતી. સાથે બોલેલો દીપપ્રાગટ્ય મંત્ર શિબિર સ્થળને પવિત્ર કરતો હતો.

ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा ।।१।। ॐ सूर्यो ज्योतिर्ज्योति: सूर्य: स्वाहा ।।२।।ॐ अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा ll ३ llॐ सूर्यो वर्चो ज्योतिर वर्चः स्वाहा ।।४।।ॐ ज्योति: सूर्य: सूर्यो ज्योति: स्वाहा ।।५।।

વાતાવરણમાં ગુલાબી ઠંડી સાથે મંદ મંદ પવન વાતો હતો છતાં પણ આજે મધુવન પાર્ટી પ્લોટના વૃક્ષો શાંત હતા. જાણે એવું લાગતું હતું કે વૃક્ષો પણ પરમાત્માને પ્રાર્થના કરતા હતા કે મને પણ એક દિવસ માટે આજે નાના બાળક બનાવી દો જેથી કરીને હું પણ આ બધા બાળકો સાથે બેસી અને ગુરુદેવની બાળશિબિરનો લાભ લઈ શકુ અને પછી તરત જ સ્વામીજીનું આગમન થયું હતું આ દરમિયાન દરેક બાળક શાંત હતુ, પરંતુ જાણે લાગતું હતું અંદરથી આનંદમાં તેમનું પણ મન મોર બની અને થનગનાટ કરતું હતું. ત્યારબાદ બધા બાળકોએ સામૂહિકતામાં ગુરુ આહ્વાન કર્યું હતું

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર: ।
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥

શ્રીમતી અર્નવાઝબેન ચોટિયા, શ્રીમતી નરુપાબેન જે. પટેલ તથા શ્રીમતી અલ્પાબેન સી. વૈષ્નાણી મેગા શિબિરમાં આઠ દિવસ સુધી એન્કરિંગનું ગુરુંકાર્ય કરતા

અને દરેક બાળકે ગુરુદેવની મધુરવાણીનું રસપાન કર્યું હતું અને બધા બાળકોએ ધ્યાન પણ કર્યું હતું અથવા એમ કહી શકાય કે તેમની આત્માએ બીજી અન્ય શુદ્ધ અને પવિત્ર આત્માઓની સામૂહિકતા મળતા તેમની પાસે ધ્યાન કરાવી લીધું હતું. આ કાર્યક્રમમાં સ્વામીજીનું બાળશિબિરનું પ્રવચન, ધ્યાન, રમતગમત, ડાન્સ , લાફિંગ અને ક્લેપીંગ વગેરે એક્ટિવિટીઝ હતી એક કાર્યકર્તાબેન સાન્તાક્લોઝ બની હતી અને બધા જ બાળકોને ચોકલેટ વહેંચી હતી. આ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ આનંદ આવ્યો હતો અને સ્વામીજીનું ખૂબ ચૈતન્ય ગ્રહણ કર્યું હતું, ધ્યાન પણ શીખ્યું હતું છેલ્લે યજુર્વેદનો શાંતિ મંત્ર શાંતિ પાઠ કર્યો હતો.

ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:,
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति: ।

वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि ॥
ॐ शान्ति: शान्ति: शान्ति: ॥

શ્રી વિષ્ણુભાઈ પંડ્યા (નવ દિવસય શિબિરના મુખ્ય રસોઈયા મહારાજ)
શિબિરાર્થી બાળકો માટે ભોજન પ્રસાદની તૈયારી કરતા કિચન સ્ટાફ

ત્યારબાદ બાળકોએ તેમનું મનગમતું ભોજન એટલે કે પાંવભાજી તથા પૌષ્ટીક સલાડનો ચૈતન્યમય ભોજનપ્રસાદ તેમના વાલીઓ સાથે બેસી આનંદથી ગ્રહણ કર્યો હતો. બાળકો માટે પીવાના શુદ્ધ મિનરલ પાણીની પણ વ્યવસ્થા હતી. બધા કાર્યકર્તાઓને પણ બાળકોની સાથે આનંદ આવ્યો હતો. બસ પછી આવ્યો આ બાળશિબિરની પૂર્ણાહુતીનો સમય બધા બાળકોએ ચહેરા પર શિબિર કર્યાના એક સંતોષના ભાવ સાથે વિદાય લીધી હતી ત્યારે આ શિબિર સ્થળ પણ જાણે ભૂલકાઓને આવજો કહેતા શુંનુ પડી ગયું હતું.

સ્વામીજી કહે છે કે હું જ્યારે કોઈ ગામમાં શિબિર લેવા જાઉં છું ત્યારે ત્યાંના લોકો ગામના બુજુર્ગ લોકોને શિબિરમાં મોકલી દે છે કે તમે શિબિરમાં જાઓ. પરંતુ હકીકતમાં બાળકોએ ધ્યાનશિબિર અટેન્ડ કરવી જોઈએ. ભગવાનને પણ તાજા ખીલેલા પુષ્પ પસંદ છે, વાસી પુષ્પ નહીં. બાળકોએ નાનપણથી જ ધ્યાન શીખવું જોઈએ ધ્યાન કરવું જોઈએ. જેથી કરીને એના જીવનમાં ખરાબ અનુભવ ના આવે. કેમકે જો મોટી ઉંમર પછી ધ્યાન કરીએ તો જીવનમાં જે ભૂતકાળની ખરાબ ખરાબ યાદો છે, ખરાબ ઘટનાઓ, ખરાબ અનુભવો, ખરાબ વ્યક્તિઓ, સંઘર્ષના દિવસો તે મનુષ્યના ચિતમાથી કાઢવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ખૂબ જ ચૈતન્યનો વ્યર્થ જાય છે. માટે બાળકોએ પોતાના સુવર્ણ ભવિષ્ય માટે નિયમિત ધ્યાન કરવું જોઈએ પરંતુ તે માટે વડીલોએ તેની પાસે જોર જબરજસ્તી ના કરવી જોઈએ પરંતુ તેને આત્માથી સમજાવીને ધ્યાન કરાવવું જોઈએ

બાળશિબિર, મધુવન પાર્ટી પ્લોટ

શિબિરના પ્રથમ દિવસની ઝલક

ધ્યાનયોગ મેગા શિબિર

અત્યાર સુધીની વિડિયો શિબિરમાં પ્રોજેક્ટર તથા પડદાનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આ વખતે પ્રથમ વખત આ ધ્યાનયોગ મેગા શિબિર માટે એલઈડી સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી કરીને શિબિરાર્થીઓ વધુ સારી રીતે શિબિરનો લાભ લઈ શકે. તથા અવાજ માટે એક સારી ક્વોલિટીના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી કરીને સ્વામીજીની ચૈતન્યપૂર્ણ વાણીનો દરેક લોકો લાભ લઇ શકે.

શિબિર ના દરેક દિવસની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થતી હતી આવેલ મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી અને અગ્નિદેવતાને પ્રાર્થના કરવામાં આવતી કે હે અગ્નિ દેવતા અમારી આસપાસ જે કોઈ દોષો જે કોઈ અશુદ્ધિઓ છે તે તમામને જલાવી અમને શુદ્ધ અને પવિત્ર કરી આપો. ત્યારબાદ ગુરુ આહવાન કરી અને સ્વામીજીના પ્રવચનની શરૂઆત થતી હતી. શિબિરના અંતમાં સ્વામીજી 30 મિનિટ ધ્યાન કરાવતા હતા. ત્યારબાદ ગુરુસત્તાનો આભાર પ્રગટ કરી અને શાંતિ પાઠ કરવામાં આવતો હતો ત્યારબાદ દરેક લોકોને ભોજન પ્રસાદ લીધા બાદ જ ઘરે જવા માટે આગ્રહ કરવામાં આવતો હતો અને પછી ભોજન પ્રસાદ બાદ દરેક દિવસની શિબિરની પૂર્ણાહુતિ થતી હતી.

શ્રી ધનસુખભાઈ ભેસાણીયા (અધ્યક્ષ ધ્યાનયોગ મેગા શિબિર જહાંગીરપુરા-2025)
શ્રીમતી ભાનુમતિબેન સોલંકી (અધ્યક્ષા મેગા શિબિર જહાંગીરપુરા-2025, પૂર્વ આચાર્યા અડાજણ
શ્રીમતી દીપિકાબેન પટેલ (આચાર્યા અડાજણ)
શ્રી પ્રવીણભાઈ મોદી (આચાર્ય અડાજણ)

 

Shibir Day 1

શિબિરના બીજા દિવસની ઝલક

શ્રી હસમુખભાઈ પટેલ (પૂર્વ આચાર્ય અડાજણ)

ધ્યાનયોગ મેગા શિબિર ના બીજા દિવસે માનવંતા મહેમાનોએ શિબિરની મુલાકાત લીધી હતી.

જેમા શ્રી ધર્મેશભાઈ ગાબાણી (દાંડી આશ્રમ વ્યવસ્થાપક), શ્રીમતી મનિષાબેન વસાણી (સાઉથ ગુજરાત ઝોનલ આચાર્ય, હિનાબેન લાડ (પૂર્વઝોનલ આચાર્ય તથા પૂર્વ આચાર્ય સમગ્ર સુરત), બીપીનભાઈ પંડ્યા (પૂર્વ આચાર્ય અડાજન, દાંડી આશ્રમ સહયોગકર્તા) અશોકભાઈ ધામેલીયા (દાંડી કિચન હેડ), શ્રી સંજયભાઈ મિશ્રા (નવનિયુક્ત આચાર્ય ઓલપાડ), શ્રીમતી જ્યોત્સનાબેન ગોસ્વામી (નવનિયુક્ત આચાર્યા ઓલપાડ)

આ પધારેલા તમામ મહેમાનોનું સમર્પણ ટીમ અડાજણ દ્વારા સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું

ગુરુદેવ કહે છે કે શરીર તો આજ છે અને કાલે નથી નાશવંત છે પરંતુ તે શરીર દ્વારા કરેલા કર્મો હંમેશા લોકોની વચ્ચે જીવંત રહે છે તો આ જે પણ લોકોનું સન્માન થયું તે કોઈ વ્યક્તિનું સન્માન નહતું પરંતુ તેણે નિ:સ્વાર્થ ભાવે લોકકલ્યાણ અર્થે જે ધ્યાનસાધનાનો પ્રચાર કર્યો છે લોકોને સારા માર્ગે વાળ્યા છે તેવા તેના સુંદરકામોનું સન્માન મળ્યું હતુ. ત્યારબાદ મહેમાનોએ તથા આવેલા અન્ય સાધકોએ સ્વાદિષ્ટ ગાજરનો હલવો, પૂરી, શાક, દાળ-ભાત, પાપડના ભોજનપ્રસાદનો લાભ લીધો હતો અને તે દિવસની પૂર્ણાહુતિ કરી હતી.

Shibir Day 2

 


શિબિરના ત્રીજા દિવસની ઝલક

સ્વામીજીનું આભામંડળ(Aura) 15 વર્ષ પહેલાનું
સ્વામીજીનું આભામંડળ(Aura)
સ્વામીજીનું હાલનું આભામંડળ(Aura)
Shibir Day 3

શિબિરના ચોથા દિવસની ઝલક

Beautiful Gujarati Card Design
સૂચના
અડાજણ સુરતના બધા ધ્યાન સેન્ટરોનું આખું લીસ્ટ ગુજરાતીમાં જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો
શ્રીમતી મીનલબેન દ્રાફાણી (ટીનાબેન, પૂર્વા આચાર્યા)
Shibir Day 4

શિબિરના પાંચમા દિવસની ઝલક

Team Adajan Logo
ટીમ અડાજણ
One Team, One Dream, One Mission!
Team Adajan Logo
ટીમ અડાજણ
One Team, One Dream, One Mission!
Shibir Day 5

શિબિરના છઠ્ઠા દિવસની ઝલક

Shibir Day 6

શિબિરના સાતમા દિવસની ઝલક

Beautiful Gujarati Card Design
સૂચના
અડાજણ સુરતના બધા ધ્યાન સેન્ટરોનું આખું લીસ્ટ ગુજરાતીમાં જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો
શ્રીમતી મંજુલાબેન મહેતા
શ્રીમતી મનીષાબેન પટેલ (પૂર્વ આચાર્યા અડાજન)
Shibir Day 7

શિબિરના આઠમા દિવસની ઝલક

મેગા શિબિરના સ્થળ પર ભાવપૂર્ણ ભજનનો પ્રોગ્રામ

શિબિરના આઠમા દિવસે એટલે કે છેલ્લે દિવસે બપોરના 4 થી 6 ભજનનો કાર્યક્રમ હતો સાધિકા બહેનોએ ખૂબ જ ભાવથી ગુરુદેવના ભજન ગાયા હતા તથા ઢોલ અને મંજીરાના તાલમાં નાચ્યા પણ હતા.

સમર્પણ ભજન મંડળ અડાજણ

ગુરુદેવ કહે છે ને કે અહીંયા બુદ્ધિથી આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય ભાવથી થશે સમર્પણ ધ્યાનમાં ભાવનું ખૂબ મહત્વ છે બુદ્ધિથી પરમાત્મા નથી મળતા પરંતુ પરમાત્મા ભાવથી મળે છે હૃદયથી મળે છે બુદ્ધિ એટલે એક પાણીનું ટીપું  છે અને પરમાત્મા તો સાગર છે તો પાણીનું ટીપું કઈ રીતે સાગરને સમજી શકે ત્યારબાદ સાંજના 6:15 વાગે એન્કરિંગ કરતા બહેનોએ મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે આમંત્રણ આપ્યું હતું અને દીપ પ્રાગટ્ય ના સામૂહિક મંત્ર ઉચ્ચારણ સાથે મહેમાનોએ દિપક ને પ્રગટાવ્યા હતા

શ્રીમતી મયુરીબેન ભગત
Beautiful Gujarati Card Design
સૂચના
અડાજણ સુરતના બધા ધ્યાન સેન્ટરોનું આખું લીસ્ટ ગુજરાતીમાં જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો
શિબિરના અંતિમ દિવસે પાદુકાનમન કરતા સાધકો

આજે આ નવ દિવસ સુધી ચાલેલી ધ્યાન શિબિરનું અંતિમ દિવસ હતો માટે આપણી ફરજ આવે છે કે આપણે એક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તે લોકો માટે જેમણે તન મન અને ધનથી આ શિબિરને સફળ કરવામાં આયોજન કરવામાં મદદ કરી હોય આ માટે મેઘા શિબિર અધ્યક્ષા શ્રીમતી ભાનુબેન સોલંકી એ પ્રત્યેક વ્યક્તિનો આભાર માન્યો હતો જેમણે આ શિબિરમાં પોતાનો કોઈ પણ રીતે સહયોગ કર્યો હતો તથા અમુક કાર્યકર્તાઓ શિબિર સ્થળ પર વહેલા આવી અને સેવા આપતા હતા જેમકે બેઠક વ્યવસ્થા ટીમ, સ્ટેજ ડેકોરેશન ટીમ, ટેકનિકલ ટીમનો આભાર માન્યો હતો.કિચન ટીમ તથા જે સાધકોએ મેગા શિબિરના પ્રચારમાં ઉત્સાહ બતાવ્યો તેમનો પણ આભાર માન્યો હતો જેમણે નવ દિવસ સુધી તેમની જગ્યા નિશુલ શિબિર માટે ફાળવી તે મધુવન પાર્ટી પ્લોટના ઓનરનો પણ આભાર માન્યો હતો આ રીતે નામી અનામી જે જે લોકોએ સહયોગ આપ્યો તે બધાનો ખુબ ખુબ આધ્યાત્મિક પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી હતી

શ્રી દિવ્યેશભાઈ તન્ના ના સ્વરમાં ભાવપૂર્ણ ભજન ગુરુદેવને સમર્પિત

આ અંતિમ દિવસે કાર્યક્રમ થોડો અલગ હતો ધ્યાન પૂરું થયા બાદ પાદુકા નમન નો કાર્યક્રમ હતો. સાધકોએ આ પાદુકા નમન ના કાર્યક્રમમાં ભાગ લઈ અને ગુરુદેવનો આ નવ દિવસ સુધી ચૈતન્ય વરસાવા માટે આભાર પ્રગટ કર્યો હતો તથા પાદુકા નમન ના માધ્યમથી સાધકોએ પોતાનું ભૂતકાળ રૂપી જહેર ગુરુદેવને સમર્પિત કર્યું હતું

મેગા શિબિરના સ્થળ પર છેલ્લે દિવસે રાસ ગરબા લેતા બહેનો

ત્યારબાદ રાસ ગરબાનો કાર્યક્રમ હતો જેમાં સાધકોએ સામૂહિકતામાં ગુરુશાનિધ્યમાં ગુરુદેવના જે ગરબા ની કેસેટ છે તેના પર રાસ ગરબા રમ્યા હતા અને આ કાર્યક્રમનો આનંદ લીધો હતો

ત્યારબાદ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ શ્રીખંડ, પુરી, શાક, દાળ-ભાત, સુરતી કુંભણીયા ભજીયા, ફ્રાય પાપડ નો લાભ દરેક સાધકે લીધો હતો

આમ પહેલા પ્રચાર કાર્ય શિબિર ની તૈયારીઓ અને ત્યારબાદ નવ દિવસ સુધી ચાલેલી શિબિર માં બધા સાધકોએ હળી મળી અને સાથે ગુરૂકાર્ય કર્યું હતું તો આ સીબીરના અંતે વાતાવરણ થોડું શુનું થઈ ગયું હતું પરંતુ સફળ શિબિર માટે દરેક સાધકોને એક આત્મીક સંતોષજનક ભાવ પણ હતો જે પણ ઘટીત થયું તે બસ ગુરુશક્તિઓ જ કરી શકે…

સર્વે પુણ્યઆત્માઓને હૃદયથી ઝાઝાથી ઘણા જય બાબા સ્વામી 🙏🙏
Shibir Day 8

મેગા શિબિર વિશે માહિતી

શિબિર રજીસ્ટ્રેશન લિંક

જો કોઈ શિબિરાર્થીએ આ મેગા શિબીર અટેન્ડ કરી હોય પરંતુ તેમનું રજીસ્ટ્રેશન બાકી હોય તો તે નીચેની લીંક મારફતે પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી અને રજીસ્ટ્રેશન કરી શકે છે

https://docs.google.com/forms/d/e/1FAIpQLSe_v2il7umT-erqWdndl85SzPQetWUWV26WS08_x-wxpQQbqA/viewform


હિમાલયન ધ્યાનયોગ શિબિરનું સ્થળ

અડાજણના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ પ્રાકૃતિક અને સુંદર મધુવન પાર્ટી પ્લોટ ની જગ્યા તેમજ સ્ટેજ, ટેબલ, ખુરશી, ડેકોરેશન વગેરે વસ્તુઓ તેમના માલિક શ્રી ચંદુભાઈ મગનભાઈ પટેલ,શ્રી પરિમલભાઈ ચંદુભાઈ પટેલ, સોહમભાઈ પટેલ, રિયાબેન પટેલ દ્વારા નિ:શુલ્ક નવ દિવસ સુધી શિબિર કરવા માટે આપી હતી તે માટે ટીમ અડાજણ તેમનો હૃદયથી આભારી છે.

શ્રીમતી રિયાબેન સોહમભાઈ પટેલ મધુવન પાર્ટી પ્લોટના ઓનર
શ્રી સોહમભાઈ પટેલ મધુવન પાર્ટી પ્લોટ ના ઓનર

નવ દિવસ સુધી નિ:શુલ્ક ભોજનપ્રસાદ

આ ધ્યાનયોગ મેગા શિબિરમાં નવ દિવસ સુધી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થામા અનેક નામી અનામી દાતાઓએ મન મૂકીને ઉદાર ભાવે દાન આપી અને આ વ્યવસ્થાને સફળ બનાવી હતી. તે માટે ટીમ અડાજણ તેમનો હૃદયથી આભાર પ્રગટ કરે છે તથા તેમના પર ખૂબ ગુરુદેવના આશીર્વાદ વરસે તેવી પ્રાર્થના. આ શિબિરમાં કિચન કોઓર્ડીનેટરનું ગુરુકાર્ય શ્રી મિતેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનો પણ ખૂબ આભાર. આ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ આપવામાં કેટ્રિંગ નું કામ વિષ્ણુભાઈ પંડ્યા તથા પારસ ભાઈ પંડ્યા (પારસ કેટરર્સ- 98259 46627) દ્વારા કરવામાં આવ્યું હતું. સારી કોલેટીનુ  ફૂડ આપવા માટે તેમનો પણ હૃદયથી આભાર.


ધ્યાનયોગ શિબિરનો પ્રચાર પ્રસાર

ટીમ અડાજણ દ્વારા આ મેગા ધ્યાનયોગ મેગા શિબિર નો પ્રચાર પ્રસાર અલગ અલગ માધ્યમોથી કરવામાં આવ્યો હતો જેમકે ઘરે ઘરે જઈ અને પ્રચારપત્રીકા (pamphlet) નું હેન્ડ ટુ હેન્ડ વિતરણ કરી અને લોકોને ધ્યાન શિબિર સુધી આવવા માટે પ્રેરિત કરવા તથા ધ્યાન પ્રત્યે જાગૃત કરવા, જાહેર સ્થળો તથા મુખ્ય રસ્તાઓ પર બેનર બાંધવા, ઓટોરિક્ષા જેવા વાહનોની પાછળ બેનર ચોટાડવા, આ મેગા ધ્યાન શિબિરમાં ટોટલ 17000 પ્રચારપત્રિકા (pamphlet) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય સોશિયલ મીડિયા જેવા ડિજિટલ માધ્યમથી પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

શ્રી જગદીશભાઈ મોરે (મધુ ચૈતન્ય કો-ઓર્ડીનેટર અડાજણ) તથા ટીમ મુખ્ય રસ્તા ઉપર બેનર બાંધવાનું ગુરુકાર્ય કરતા
શ્રી દિવ્યેશભાઈ તન્ના ઓટોરિક્ષાની પાછળ બેનર લગાડવાનું ગુરુકાર્ય કરતા
શ્રી રાકેશભાઈ પટેલ તેમની પ્રચાર કાર્ય ની ટીમ સાથે
શ્રી રજત સિંધા, શ્રીમતી પાયલબેન સિંધા, શ્રીમતી રીટાબેન પંચાલ, શ્રી દિવ્યેશભાઈ તન્ના તેમની ટીમ સાથે પ્રચાર કાર્ય કરતા
શ્રી કિરીટભાઈ પટેલ (સંચાલક આનંદ નગર સેન્ટર, આચાર્ય સંકુલ મેમ્બર) તથા શ્રી વિઠ્ઠલભાઈ પ્રજાપતિ તેમની ટીમ સાથે પ્રચાર કાર્ય કરતા
શ્રી અનિલભાઈ પટેલ તથા ટીમ પ્રચાર કાર્ય કરતા
શ્રી ઉમેશભાઈ પરમાર (સેન્ટર સંચાલક મિથિલા સેન્ટર) તેમની પ્રચાર કાર્ય ની ટીમ સાથે
શ્રી ધ્રુવભાઈ એચ શાસ્ત્રી, શ્રી ધીરજભાઈ અંઘલ , શ્રીમતિ નીપાબેન બંધારા અને શ્રીમતી સીમાબેન પરમાર તથા અન્ય ટીમ પ્રચાર કાર્ય કરતા
શ્રી અનિલભાઈ માનાણી તેમની પ્રચાર કાર્ય ની ટીમ સાથે
શ્રી કિશોરભાઈ પટેલ (મેગા શિબિર પાર્કિંગ વ્યવસ્થા હેડ તથા પ્રિન્ટિંગ મલ્ટીમીડિયા હેડ) તેમની પાર્કિંગ વ્યવસ્થાની ટીમ સાથે
કિચન ફૂડસર્વ ટીમ

ધ્યાનયોગ શિબિરના કાર્યકર્તાઓ

આ ધ્યાનયોગ મેગા શિબિરના અધ્યક્ષ સ્થાને શ્રીમતી ભાનુબેન સોલંકી તથા શ્રી ધનસુખભાઈ ભેસાણીયાએ સેવા આપી હતી, ટીમ અડાજણના આચાર્ય શ્રી પ્રવીણભાઈ મોદી તથા શ્રીમતી દીપિકાબેન પટેલ, ઝોનલ આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ તથા શ્રીમતી શીલાબેન શાસ્ત્રી, આચાર્ય સંકુલના સભ્યો, ટીમ અડાજણના બધા જ સેન્ટર સંચાલકો તથા ધ્યાનયોગ પરિવારના નામી અનામી બધા જ સાધક સાધિકા ભાઈઓ બહેનોએ ઉત્સાહથી તન મન અને ધનથી સેવા આપી અને આ શિબિરને સફળ બનાવવા માટે જહમત ઉઠાવી હતી.

આ ધ્યાનયોગ શિબિરને સફળ કરવા ટીમ અડાજણની અનેક ટીમોએ દિવસ-રાત મહેનત કરી હતી. જેમ કે પ્રચાર-પ્રસાર ટીમ, પ્રિન્ટિંગ એન્ડ મલ્ટીમીડિયા ટીમ, સ્ટેજ ડેકોરેશન એન્ડ રંગોળી ટીમ, મેનેજમેન્ટ એન્ડ સંકલન ટીમ, એન્કરિંગ ટીમ, ટેકનિકલ એન્ડ ઇલેક્ટ્રિશિયન ટીમ, બેઠક વ્યવસ્થા ટીમ, કિચન મેકિંગ એન્ડ સર્વિંગ ટીમ, પાર્કિંગ વ્યવસ્થા ટીમ, રજીસ્ટ્રેશન ટીમ, ડોનેશન ટીમ, આઇટી ટીમ, વોટર વ્યવસ્થા ટીમ, ન્યુઝ રિપોર્ટિંગ ટીમ, શિબીરાર્થી સ્વાગત ટીમ, ભજન મંડળ ટીમ, ફોટોગ્રાફી એન્ડ વીડીયો એડીટીંગ ટીમ, સાફ-સફાઈ ટીમ, સાહિત્ય તથા આશ્રમ પ્રોડક્ટ ટીમ, મધુચૈતન્ય કોઓર્ડીનેટર ટીમ, શિબિર સ્ટાર્ટ અપ ટીમ, શિબીર વાઈન્ડ અપ ટીમ. આ બધી જ ટીમોનો નિઃ સ્વાર્થ સેવા આપવા માટે સમર્પણ ધ્યાન પરિવાર હૃદયથી આભાર પ્રગટ કરે છે.


ટીમ અડાજણ 4k ફોટોગ્રાફ્સ

કિચન ફૂડસર્વ ટીમ
આચાર્યા સંકુલ અડાજણ ના મેમ્બર્સ
શ્રીમતી યશોમતીબેન રાણા (સેન્ટર સંચાલક તપનાત સેન્ટર) તેમની બેઠક વ્યવસ્થા ની ટીમ સાથે
શ્રી હિતેશભાઈ પટેલ (આચાર્ય સંકુલ, કિચન કોઓર્ડીનેટર) તેમની કિચન ફૂડસર્વ ટીમ સાથે
આચાર્ય સંકુલ અડાજણ
અડાજણ સુરત આચાર્યા/આચાર્ય
મેગા શિબિર અધ્યક્ષા/અધ્યક્ષ
ઝોનલ સંકુલ સાઉથ ગુજરાત
શ્રી મિતેશભાઈ પટેલ (દાંડી આશ્રમ કિચન કોઓર્ડીનેટર) તથા શ્રીમતી સેજલબેન પટેલ (આચાર્યા સંકુલ અડાજણ)

દર રવિવારનું સમૂહધ્યાન

સ્વામીજી કહે છે કે જો એકલામાં ધ્યાન કરવું હોય તો હિમાલય જાવ અને જો સમાજમાં રહીને ધ્યાન સાધના કરવી હોય તો સામૂહિકતામાં ધ્યાન સાધના કરો. તો મેગાશિબિર દરમિયાન આવા બે સમૂહ ધ્યાનનું આયોજન શિબિર સ્થળ મધુવન પાર્ટી પ્લોટ, અડાજણ પર કરવામાં આવ્યું હતું

સમૂહ ધ્યાન, મધુરમ પાર્ટી પ્લોટ

સમૂહધ્યાન 05/01/2025

તારીખ 05/01/2025 અને રવિવારે સવારે 08:00 થી 09:00 મધુવન પાર્ટી પ્લોટના પ્રાકૃતિક વાતાવરણમાં સમૂહ ધ્યાન નું આયોજન થયું હતું. આમાં ધ્યાન પૂરું થયા બાદ સાધકોએ ખૂબ મોટી સંખ્યામાં સામૂહિકતામાં ગુરુદેવની આરતી ઉતારી અને એક દિવ્ય અનુભૂતિનો લાભ લીધો હતો ત્યારબાદ શ્રી હસમુખભાઈ પટેલે સૂર્યની સામે દૃષ્ટિ રાખી અને સૂર્યની ઉર્જા કઈ રીતે ગ્રહણ કરવી અને સકારાત્મક બનવું તેનો પ્રયોગ બધા સાધકોને પ્રેક્ટીકલ કરાવ્યો હતો, ત્યારબાદ, સ્વાદિષ્ટ અને ગરમાગરમ ઈડલી-સાંભાર તથા ચા નો નાસ્તો ગ્રહણ કરી સાધકો છૂટા પડ્યા હતા. આ પ્રોગ્રામમાંમાં 400 જેટલા સાધકોએ ભાગ લીધો હતો

સમૂહધ્યાન 12/01/2025

આવી જ રીતે તારીખ 12/01/2025 અને રવિવારે સવારે 08:00 થી 09:00 મધુવન પાર્ટી પ્લોટ પર સમૂહ ધ્યાનનું આયોજન થયું હતું. આ સમૂહ ધ્યાન નું મહત્વ એ હતું કે તે 19માં ગહન ધ્યાન અનુષ્ઠાન પ્રથમ દિવસ હતો જેની શરૂઆત સમૂહ ધ્યાનથી થઈ હતી જેનો સાધકોને સંતોષ હતો ધ્યાનબાદ આચાર્ય, આચાર્યા તથા શ્રી કાવ્ય દીપકભાઈ પટેલ જે કિશોરભાઈ પટેલના ભત્રીજા છે તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે ગુરુદેવની આરતી ઉતારી હતી અને સાધકો પણ સામૂહિકતામાં ગુરુદેવની આરતી માં સામેલ થઈ અને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આચાર્યશ્રીએ સંબોધન કર્યું હતું અને ગુરુકાર્યરત સાધકોનો ઉત્સાહ વધાર્યો હતો તથા મેગા શિબિરની સફળતા માટે સૌ સાધકોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ સુરતના પ્રખ્યાત ગરમાગરમ સેવ-ખમણ મિર્ચી તથા ચા ની ચૂસકી નો આનંદ માણી સાધકો છૂટા પડ્યા હતા આ પ્રોગ્રામમાં પણ 450 થી વધારે સાધકોએ ભાગ લીધો હતો.

સમૂહધ્યાન 19/01/2025

આજ રીતે તારીખ 19/01/2025 અને રવિવારના રોજ સવારે 07:00 થી 08:00 વાગ્યાના સમયમાં જહાંગીરપુરાના પંચવટી એપાર્ટમેન્ટના પરિસરમાં પ્રથમવાર સમૂહધ્યાનનું આયોજન થયું હતું. આ સમૂહધ્યાનની બે વિશેષતા હતી એક કે આ જગ્યા પર પર પ્રથમવાર રવિવારના સમૂહધ્યાનનું આયોજન થવા જઈ રહ્યું હતું એટલે કે આ સમૂહધ્યાન સેન્ટરનું આજના દિવસે ઉદ્ઘાટન થયું.

શ્રી મનોજભાઈ મોદી (સંચાલક પંચવટી સમૂહધ્યાન કેન્દ્ર) તથા અન્ય સાધકો દ્વારા દીપ પ્રાગટ્ય
શ્રીમતિ ગીતાબેન પટેલ (સંચાલક પંચવટી સમૂહધ્યાન કેન્દ્ર)

આની પહેલા અડાજન ઝોનમાં ફક્ત શ્રી જલારામબાપાના મંદિર, પાલ પર જ રવિવારના સમુહધ્યાનનું આયોજન થતું હતું પરંતુ જહાંગીરપુરાના સાધકોને તે સેન્ટર થોડું દૂર પડતું હોવાથી એક નવા સેન્ટરની તલાશ હતી જે ગુરુકૃપામાં આજે પૂરી થઈ હતી. જેવી રીતે ભગવાન શ્રીરામને વનવાસકાળ દરમિયાન પંચવટીના જંગલોએ આશરો આપ્યો હતો તેવી જ રીતે જહાંગીરપુરાના સાધકોને પંચવટી સમુહ ધ્યાન કેન્દ્રએ આશરો આપ્યો છે. બીજી વિશેષતા એ હતી કે 18માં ગહનધ્યાન અનુષ્ઠાનનો આજે આઠમો દિવસ હતો. આ ઉર્જામય દિવસોમાં સમૂહધ્યાન કરવું તે એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રદાન કરે છે.

પંચવટી સામૂહિક ધ્યાન કેન્દ્ર

ધ્યાન પૂર્ણ થયા બાદ બધા સાધકોએ સમૂહમાં ગુરુદેવની ભાવથી આરતી કરી હતી. આ આરતીમાં આવેલા પ્રત્યેક સાધક માટે દીપકની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કરીને બધા જ સાધકોએ પોતપોતાનો દીપક પ્રગટાવી અને દરેક લોકોએ સ્વામીજીની આરતીનો સામૂહિકતામાં લાભ લીધો હતો

ત્યારબાદ આચાર્યશ્રી પ્રવીણભાઈ મોદીએ ઉદ્બોધન કર્યું હતું તેણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે એક હાથમાં જેમ ચાર આંગળીઓ અને એક અંગૂઠો હોય છે તેમ ચાર આંગળીઓ આપણા રોજના ધ્યાન સેન્ટરો છે અને અંગૂઠો છે તે આપણું રવિવારનું સમૂહધ્યાન સેન્ટર છે એટલે કે તેની પણ ખૂબ જ ઉપયોગીતા છે. ત્યારબાદ આચાર્યા શ્રી દીપિકાબેન પટેલે નવા સાધકો જેણે હાલમાં જ મેગા શિબિર કમ્પલીટ કરી છે અને પ્રથમવાર સમૂહ ધ્યાનમાં આવ્યા હતા તેમને અડાજન ઝોનના દરેક સેન્ટરોના સંચાલકોનો પરિચય કરાવ્યો હતો તથા ગુરુદેવનો આભાર માન્યો હતો કે આ નવું ધ્યાન સેન્ટર તેમણે બતાવ્યું. એ પછી આ પંચવટી સમૂહધ્યાન સેન્ટરના સંચાલક શ્રીમતી ગીતાબેન પટેલે આ સેન્ટર ઉદ્ઘાટનના ખુશીના પ્રસંગે સ્વામીજીને એક ભાવપૂર્ણ ભજન સમર્પિત કર્યું હતું. જેનું રેકોર્ડિંગ નીચે ક્લિક કરી આપણે સાંભળીશું.

શ્રીમતી ગીતાબેન પટેલ દ્વારા ભાવપૂર્ણ ભજન પ્રસ્તુતિ
પંચવટી ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ચા નાસ્તા નો પ્રોગ્રામ

ત્યારબાદ શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી સાધકોએ ગરમાગરમ દાળ સમોસા ઉપર ગ્રીન ચટણી અને કાંદા નાખી ચા સાથે નાસ્તાનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો આ રવિવારના સમૂહધ્યાનમાં કાર્યક્રમમાં 150 થી વધારે સાધકોએ લાભ લીધો હતો.

તો ખાસ અડાજનની આસપાસના વિસ્તારમાં રહેતા દરેક સાધકો દર રવિવારે સવારે સમુહ ધ્યાનનો લાભ લેવા માટે નીચેના બંને સ્થળનું સરનામું થા સમય નોંધી શકે છે જ્યાં હવેથી દર રવિવારે બંને સેન્ટરો પર સમુહધ્યાન નું આયોજન થશે.

1. શ્રી જલારામ બાપાનુ મંદિર, ફ્લોરા રેસીડેન્સી ની સામે, પાલ, સુરત. સમય : સવારે 08:15 થી 09:00

સંચાલક : જીગીશાબેન પટેલ : 83478 06538, શ્વેતાબેન મોદી : 990 942 7290

2. પંચવટી એપાર્ટમેન્ટનું પરિસર, પીસાદ ગામની બાજુમાં, ઇસ્કોન સર્કલથી આગળ ઓલપાડ રોડ પર, નાયરા પેટ્રોલ પંપ ની સામે, જહાંગીરપુરા,સુરત. સમય : સવારે 07:00 થી 08:00.

પંચવટી સમૂહધ્યાન કેન્દ્રના કોઈ સાધકોને તેમના અથવા તેમના પરિવારના જન્મદિવસ એનિવર્સરી અથવા બીજા કોઈ શુભ પ્રસંગે સમુહ ધ્યાન બાદ ચા અથવા નાસ્તો આપવાની ઈચ્છા હોય તો તે સંચાલકશ્રીઓનો સંપર્ક સાધી શકે છે

સંચાલક : ગીતાબેન પટેલ : 73591 91692, મનોજભાઈ મોદી : 85113 93570


ભાગ 3
હિમાલયન ધ્યાનયોગના પ્રણેતાનો પરીચય

શ્રી શિવકૃપાનંદ સ્વામીજી
વંદનિય ગુરુમાં

હિમાલયન ધ્યાનયોગ ના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો જન્મ મધ્યમવર્ગીય મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સમર્પણ ધ્યાન યોગ જે પાછલા 800 વર્ષથી હિમાલયની કંદરાઓ સુધી જ સીમિત હતો તે ધ્યાનયોગની અનુભૂતિને સમાજના પ્રત્યેક મનુષ્ય સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સ્વામીજીએ કર્યું છે.

સ્વામીજીના પુત્ર જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તેમના ઘરે એક ગુરુ આવ્યા તથા સ્વામીજીના ધર્મપત્ની(ગુરુમાં) ની સહમતીથી સ્વામીજીને તે હિમાલય લઈ ગયા. ત્યાં હિમાલયમાં અનેક મુનિયો તપસ્વીઓ તથા કૈવલ્ય કુંભક યોગીઓને ગુરુના રૂપમાં માની અને સ્વામીજીએ તેમની સેવા કરી અને સેવા કરતા જ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું.

દરેક ગુરુએ જ્ઞાન પ્રદાન કર્યા બાદ બીજા ગુરુ પાસે સ્વામીજીને મોકલ્યા. વિભિન્ન ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી સ્વામીજીને એ ધ્યાન પદ્ધતિની ખબર પડી જે પ્રત્યેક આત્માને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરતી હતી. તે ધ્યાન પદ્ધતિ ધર્મ, જાતિ, ભાષા તથા લિંગથી પરે હતી. મતલબ, વિશ્વની બધી જ આત્માઓ આ ધ્યાન પદ્ધતિથી ધ્યાન કરી શકતી હતી.

ત્યારબાદ ગુરુ આજ્ઞાથી સ્વામીજી તે ધ્યાન પદ્ધતિને સમાજમાં લઈ આવ્યા. ગુરુઓના પ્રતિ સમર્પણ ભાવને કારણે જ ગુરુદેવ આ ધ્યાન પદ્ધતિને જાણી શક્યા. તેથી એમનું નામ રાખ્યું સમર્પણ ધ્યાન. વિશ્વનો પ્રત્યેક મનુષ્ય આત્માના પૂર્ણ સમર્પણ દ્વારા આ ધ્યાનના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.

સ્વામીજીના જીવનનો ઉદ્દેશ વિશ્વની બધી આત્માઓ નો આધ્યાત્મિક વિકાસ અને તેમને જીવતા જીવ જ મોક્ષની સ્થિતિ મળે એટલા માટે આ અમૂલ્ય જ્ઞાન ને સ્વામીજીએ વિશ્વના ઘણા બધા દેશોમાં નિ:શુલ્ક વેચ્યું છે. સ્વામીજી સ્વયં ચૈતન્યનો સાગર છે પરંતુ સ્વયંને ગુરુ ઊર્જાના માધ્યમ માત્ર માને છે તેની આ સૌમ્યતા અને સાદગી છે

21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ ઘોષિત કરવા પર
યુ એન ના ઓફીસીયલ ટ્વિટર હેન્ડલ પરની પોસ્ટ
યુકે હાઉસ ઓફ લોર્ડ (અપર પાર્લામેન્ટ ઇંગ્લેન્ડ) દ્વારા સ્વામીજીને ગ્લોબલ પિસ અને વેલનેસ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામા આવ્યા
વિશ્વ ધ્યાન દિવસ ઘોષીત થવા પર ન્યુયોર્કથી યુ.એન. ના ભારતીય રાજદુતનો સ્વામીજીને પત્ર
સ્વામીજીને નેપાળ ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનવા પર પ્રધાનમંત્રી દ્વારા અભિનંદન

.

સમર્પણ આશ્રમ દાંડી સોલાર પ્રોજેક્ટ અનુદાન

પ. પૂ.ગુરુદેવની ઈચ્છાનુસાર સમર્પણ આશ્રમ દાંડીમાં સોલાર સિસ્ટમ લગાવવાનું આયોજન થયેલ છે જેથી વીજળીના બિલ બાબતે આશ્રમ ૩૦ વર્ષ સુધી સ્વનિર્ભર થઇ શકે. આશ્રમ સ્વનિર્ભરની આ યોજના નીચે મુજબ છે અને તેમાં જોડાવા માટે દરેક સાધકોનો નમ્ર વિનંતી છે.

  1. સાધક દીઠ રૂ. ૩૫૦/- એટલે કે ૫૦ સાધકો તરફથી ૧ સોલાર પ્લેટ
  2. સાધક દીઠ રૂ. ૫૫૦૦ /- એટલે કે ૩ સાધકો તરફથી ૧ સોલાર પ્લેટ
  3. સાધક દીઠ રૂ. ૧૭૫૦૦ /- એટલે કે ૧ સાધક તરફથી ૧ સોલાર પ્લેટ
    નોંધ :
  4. ઉપરોક્ત યોજના માં એક વાર જ સહયોગ કરવાનો છે.
  5. સાધક પોતાની ઇચ્છાનુસાર રૂ.૩૫૦/- થી વધારે અનુદાન આપી શકે છે.
  6. અનુદાનની રસીદ જે તે સેન્ટરના ફાયનાન્સ કો ઓર્ડીનેટર તરફથી મળશે
  7. આશ્રમમાં પણ અનુદાન સ્વીકાર્ય છે
  8. સેન્ટરના સાધકો એક સાથે અથવા સાધક પોતાના પરિવારના સદસ્યો/સ્નેહીજનો/ મિત્રવર્તુળ સાથે આ યોજનામાં જોડાઈ શકે છે.

સોલાર પ્રોજેક્ટનું કામ દાંડી આશ્રમમાં શરુ થઇ ગયેલ હોય, આચાર્ય સંકુલ/ સંચાલકોને વિનંતી કે સેન્ટર પર/સામુહિક ધ્યાનમાં સાધકોને તુરંત વાત કરી આ યોજનામાં જોડવા વિનંતી તેમજ સાધકો પાસે આવેલ અનુદાન સંચાલક લીસ્ટ બનાવી આચાર્ય શ્રી ને જમાં કરાવવા વિનંતી તેમજ અનુદાન ની કોઈ સાધક ને અલગ રસીદ જોઈતી હોય તો લીસ્ટ માં જણાવવા વિનંતી નહિ જણાવશો તો તમારા સેન્ટર ની એક રસીદ કોઈ પણ એક સાધક ના નામ પર બનાવવા માં આવશે
વધુ માહિતી માટે પ્રવીણભાઈ મોદી નો કોન્ટેક્ટ કરવો
અડાજણ આચાર્ય/આચર્યા


ભાગ 4
ટીમ ગુરુતત્વ એક્ટિવિટી

સમર્પણ આશ્રમોની વિગત













નવસારી થી દાંડી તથા દાંડી થી નવસારી જવા માટે એસટી બસનું ટાઈમટેબલ


ધુચૈતન્ય

મધુચૈતન્ય પુસ્તીકા

મધુચૈતન્ય ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતું ‘હિમાલયન ધ્યાનયોગ’ નું દ્વિમાસિક સામયિક નિજિ વિતરણ પત્રિકા છે. આ દર બે મહિને એક અંક એમ વર્ષમાં છ અંક પ્રકાશિત થાય છે. જેમનું લવાજમ ભરી અને તમે સદસ્યતા લઈ શકો છો. જેમની સદસ્યતા શુલ્ક છે એક વર્ષ માટેના (6 અંક) રૂ. 240 તથા બે વર્ષ માટેના (12 અંક) રૂ. 450 અને ત્રણ વર્ષ (18 અંક) ₹630 છે.

સ્વામીજી કહે છે કે હું પ્રત્યેક સાધકના ઘર સુધી નથી પહોંચી શકતો પરંતુ મધુચૈતન્યના માધ્યમથી મારું ચૈતન્ય પ્રત્યેક સાધકના ઘર સુધી પહોંચે છે. મધુ ચૈતન્યને સ્વામીજીએ જીવંત પત્રિકાની સંજ્ઞા આપી છે. મધુ ચૈતન્ય પત્રિકા છેલ્લા 25 વર્ષથી ઘરે ઘરે જઈને ચૈતન્ય વર્ષા કરી રહી છે તથા આ વર્ષે 2025 માં એની યાત્રાની રજત જયંતિ ઉજવવા જઈ રહી છે. મધુચૈતન્ય સંપાદકીય મંડળના અધ્યક્ષા પરમ પૂજ્ય ગુરુમાં છે. મધુ ચૈતન્ય ને પૂજ્ય ગુરુમાએ એમની છત્રછાયામાં સંભાળી છે વિકસિત કરી છે આશીર્વાદિત કરી છે. પૂજ્ય ગુરુમાના ચરણ કમળ પર કૃતજ્ઞતા વ્યક્ત કરીને સાદર નમન કરીએ છીએ. એ જ કૃતજ્ઞતાના ભાવની અભિવ્યક્તિ કરીને આવો આપણે સૌ 21 જાન્યુઆરી પૂજ્ય ગુરુમાના જન્મદિવસની મધુચૈતન્ય દિવસના રૂપમાં ઉજવીએ

જો તમે પણ તમારા સુઝાવ, અનુભવ, લેખ, કવિતા-ભજન વગેરે મધુચૈતન્યમાં છાપવા માટે મોકલવા માગતા હોય તો કૃપયા નીચેના ઈ-મેલ ઉપર મોકલશો.

edit.madhuchaitanya@gurutattva.org

જો તમે પણ મધુચૈતન્યની સદસ્યતા લેવામાં માગતા હોય તો તમે અડાજણના મધુચૈતન્ય કો-ઓર્ડીનેટર શ્રી જગદીશભાઈ મોરેનો સંપર્ક કરી શકો છો. જેમની કોન્ટેક્ટ ડીટેલ નીચે મુજબ છે.


સ્વામીજીના હિમાલય પ્રવાસની આત્મકથા

‘હિમાલય કા સમર્પણ યોગ’ ભાગ 1 થી ભાગ 6 એ નામથી 6 ગ્રંથ પ્રાપ્ય છે. ‘હિમાલય કા સમર્પણ યોગ’ આ પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીના આધ્યાત્મિક પ્રવાસની સ્વાલિખિત વર્ણન છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પરંતુ સજીવ અનુભૂતિ પ્રદાન કરવાવાળું સજીવ તથા પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ થી આવનારી અનેક પેઢી તે સજીવ અનુભૂતિને ખૂબ જ આસાનીથી પ્રાપ્ત કરી શકશે કે જે સજીવ અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે પૂજ્ય સ્વામીજીને ઘણા વર્ષો સુધી કઠોર સાધના કરવી પડી.

આ ગ્રંથના માધ્યમથી પૂજ્ય સ્વામીજીના ગુરુજનોની શક્તિઓ સહજ જ પ્રવાહીત થઈ જાય છે. માટે પાઠકોને સપ્રેમ નિવેદન છે કે આ ગ્રંથનું પઠન યોગ્ય ભાવના ની સાથે કરે અને આ ગ્રંથની ગરિમા જાળવી રાખે.

જો તમે આ સ્વામીજી લેખિત તેમની આત્મકથાના ગ્રંથોને ઓનલાઈન ખરીદવા માંગતા હોય તો આપની પાસે બે ઓપ્શન છે એક ગુરુતત્વની ઓફિશિયલ વેબસાઈટ તત્વટ્રેન્ડ્સ પરથી અને બીજો ઓપ્સન amazon ની વેબસાઈટ પરથી આપ આ ગ્રંથોને ઓનલાઇન ઘરબેઠા મંગાવી શકો છો. તત્વટ્રેન્ડ્સ પર હિમાલય કા સમર્પણ યોગ ભાગ 1 થી 3 હિન્દીમાં ઉપલબ્ધ છે તથા amazon પર પણ ભાગ 1 થી 3 હિન્દીમાં ઉપલબ્ધ છે. જો આપ આ ગ્રંથોને ગુજરાતીમાં ખરીદવા માગતા હોય અથવા ભાગ 4 થી 6 પણ ખરીદવા માગતા હોય તો તે ઓફલાઈન આશ્રમ પર અથવા તમારા સેન્ટર સંચાલક ને વાત કરી અને મંગાવી શકો છો.

તત્વટ્રેન્ડ્સ પર ભાગ એક થી ત્રણ ગ્રંથ ની પ્રાઈઝ સમાન છે રૂપિયા ૨૫૦ પરંતુ તત્વટ્રેન્ડ્સ પર ડીલેવરી ચાર્જ ૧૨૦ રૂપિયા અલગથી લેવામાં આવશે પરંતુ જો આપ તત્વટ્રેન્ડ્સ પર ૧૪૯૯ થી વધારે રૂપિયાની ઓનલાઈન ખરીદી કરો છો તો આપને તે તમામ ખરીદેલા સાહિત્યને ફ્રી ઓફમાં આપના ઘર સુધી ડિલિવરી કરી આપવામાં આવશે. માટે સેન્ટરના સાધકો બધા સાથે મળી અને એક સાથે દરેકને જોઈતું સાહિત્ય તેમના સેન્ટર પર મંગાવી શકે છે જેથી કરીને ફ્રી માં ડીલેવરીનો લાભ લઈ શકે
જ્યારે એમેઝોન પર ભાગ-૧ ની પ્રાઈઝ રૂ. ૨૭૩ (ફ્રિ ડિલેવરી) ભાગ-૨ ની પ્રાઈઝ રૂ. ૨૭૩ (ફ્રિ ડિલેવરી) તથા ભાગ-3 ની પ્રાઈઝ રૂ. ૩૨૬ (ફ્રિ ડિલેવરી) છે એમેઝોન પર કોઈપણ રકમની ખરીદારી પર ડીલેવરી આપના ઘર સુધી ફ્રી માં કરી આપવામાં આવશે. જ્યારે તત્વટ્રેન્ડ્સ પર ૧૪૯૯ થી ઉપરની ખરીદી પર ડીલેવરી ફ્રી માં કરી આપવામાં આવશે જ્યારે amazon પર ફક્ત હિમાલય કા સમર્પણ યોગ ભાગ 1 ભાગ 2 તથા ભાગ 3 આ ગ્રંથો જ અવેલેબલ છે જ્યારે તત્વટ્રેન્ડ્સ પર લોકેટ, બોલપેન, સમર્પણ ઝોલા, લેટેસ્ટ કેલેન્ડર તથા અન્ય ગ્રંથો આવી ઈત્યાદી વસ્તુઓ પણ અવેલેબલ છે



હિમાલય કા સમર્પણ યોગ ભા/ગ-1 (હિન્દી)
(Buy on Amazon)



હિમાલય કા સમર્પણ યોગ ભાગ-1 (હિન્દી)
(Buy on Tattvatrends)



હિમાલય કા સમર્પણ યોગ ભાગ-2 (હિન્દી)
(Buy on Amazon)



હિમાલય કા સમર્પણ યોગ ભાગ-2 (હિન્દી)
(Buy on Tattvatrends)



હિમાલય કા સમર્પણ યોગ ભાગ-3 (હિન્દી)
(Buy on Amazon)



હિમાલય કા સમર્પણ યોગ ભાગ-3 (હિન્દી)
(Buy on Tattvatrends)



આધ્યાત્મિક સત્યની નવી આવૃત્તિ રિલોંચ હાર્ડ કવર (હિન્દી)
(Buy on Tattvatrends)

.


ગહન ધ્યાન અનુષ્ઠાન વિશે માહિતી

🌺गहन ध्यान अनुष्ठान 🌺
कल से गहन ध्यान अनुष्ठान
प्रांरभ हो रहा है । जो २६ फरवरी महाशिवरात्री तक चलेगॉ ।
महाशिवरात्री तो आत्माओ का उत्सव है । गहनध्यान अनुष्ठान तो शरीर से आत्मा बनने की साधना है ।
इसलीये गहनध्यान अनुष्ठान मे शरीर से आत्मा बनने की साधना करे । इसे सदैव वतेमान मे रह कर आसानी से की जा सकती है । तो यह करोगे न ।
आप सभी को खुब खुब आशिवाद ।
आपका अपना
🌺 बाबा स्वामी
🌺नोट ॥- कल से २६ फरवरी तक मेरा मोबाईल बंन्द रहेगॉ ।
आप भी बंन्द रख सकते हो तो रखे
गुजरात समर्पण आश्रम
महुडी गांन्धीनगर गुजरात
11/1/2025

🪷 जय बाबा स्वामी 🪷
🌺 समर्पण आश्रम दांडी – खुश खबर 🌺
सभी साधकों के लिए खुशी की बात है कि समर्पण दांडी  में आप *अनुष्ठान के दौरान ३ दिन/ उनसे ज़्यादा दिन के लिए आश्रम में साधना के लिए निवास की व्यवस्था की गई है ।
एक व्यक्ति का एक दिन के लिए ४०० रूपया चार्ज रहेगा ।
जो भी साधक यहां आना चाहते है उन्हें अपना रजिस्ट्रेशन दो दिन पहले नीचे दिए गए नंबर पर करवाना अनिवार्य है |
आश्रम में निवास की जितनी व्यवस्था होगी इतना साधकों को प्रवेश दिया जाएगा ।
         आश्रम मेनेजर – श्री चन्दुभाई वसानी
आश्रम व्यवस्थापक – श्री धर्मेशभाई गाबानी
       कॉन्टेक्ट नंबर – 9979491950
                             8849409528

નીચેની લીંક પર જઈ ગુરુતત્વ ની youtube ચેનલ ઓપન કરી અને તેમાં લાઈવ ઓપ્શન ક્લિક કરવાથી 45 દિવસ સુધી દરરોજ સવારે 4:30 થી 5:30 નું ગહન ધ્યાન અનુષ્ઠાન લાઈવ ગુરુદેવ સાથે કરી શકશો

.

ગહન ધ્યાન અનુષ્ઠાન
ગહન ધ્યાન અનુષ્ઠાન

સમર્પણ સાહિત્ય ઓનલાઇન

જો તમે સ્વામીજીના સૂક્ષ્મ શરીરનો ફોટો, સૂક્ષ્મ શરીરનું લોકેટ, પેન, હિમાલયન મેડીટેશન બેગ, સ્વામીજી લેખિત પુસ્તકો ઈતીયાદી ઓનલાઇન ખરીદી કરવા માગતા હોય તો નીચેની લીલા કલરના શોપ નાવ બટન પર ક્લિક કરી અને શોપિંગ કરી શકો છો

.


તત્વનાદ રેડિયો ૨૪×૭

जय आत्मेश्वर!

📻 हम लौट आए हैं! जुड़े रहें तत्त्वनाद-
आपका 24/7 रेडियो

📢 सुनने के लिए लिंक पर क्लिक करें!
https://guru.gurutattva.org/radio

दैनिक अंदाजन कार्यक्रम
6:00 am – 6:45 am ध्यान और आरती
7:30 am – 9:30 am गुरुदेव प्रवचन
9:30 am – 10:00 am तत्त्वनाद स्पेशल्स
11:00 am – 12:00 pm गुरुमा स्पेशल
1:00 pm – 1:30 pm तत्त्वनाद स्पेशल्स रिपीट
2:00 pm – 3:00 pm गुरु पूर्णिमा स्पेशल
3:30 pm – 4:30 pm महाशिवरात्रि स्पेशल
5:00 pm – 6:00 pm दर्शन शिविर

बाक़ी समय भक्ति गीत का आनंद लें।

१२ घंटे के कार्यक्रम के बाद यह कार्यक्रम पुनः प्रसारित किया जाएगा।

.


ગુરુતત્વ સ્પીક્સ ઓડિયોબુક

‘ગુરુતત્વ સ્પીક્સ’ નામની યુટ્યુબ ચેનલ પર શ્રી અમ્બ્રીશજીના સ્વરમાં ‘હિમાલય કા સમર્પણ યોગ’ ગ્રંથની હિન્દી ઓડિયોબુક ઉપલબ્ધ છે. જેનો દરેક સાધકે અવશ્ય લાભ લેવો. નીચેના પીળા બટન પર ક્લિક કરી તમે આ ઓડિયોબુકનુ પ્લે લિસ્ટ સાંભળી શકો છો.


તત્વનાદ યુટ્યુબ ચેનલ

સ્વામીજીના સુમધુર ભજનોનો લાભ હવે આપ તત્વનાદ યુટ્યુબ ચેનલ પર પણ લઈ શકો છો. તો અવશ્ય આ ચેનલને લાઈક, શેર તથા સબસ્ક્રાઇબ કરો


ગુરુતત્વ એપ

સદ્દગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના જુના કાર્યક્રમના પ્રવચન સાંભળવા માટે તમે google play store પરથી ‘ગુરુતત્વ’ (Gurutattva) નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જેમાંથી સ્વામીજી ના તથા ગુરુમાં ના પ્રવચન, ભજન, મંત્ર જાપ, મ્યુઝિક સાથે 30 મિનિટ ધ્યાન, આઠ દિવસિય બધી જ શિબીરોનો સંગ્રહ વગેરે સાંભળી શકો છો. આ એપ નીચેની લીંક થી ડાઉનલોડ કરી શકો છો

.


ડોનેશન ઓનલાઇન

સમર્પણના બધા આશ્રમોને ચલાવવા માટે લાગતા રોજબરોજના ખર્ચાઓ તથા આજીવન સેવાધારીઓના પરિવારનું નિર્વાહ, આશ્રમોમાં થતા અલગ અલગ કાર્યક્રમોમાં થતા ખર્ચાઓ, સમર્પણ આશ્રમોમાં આવેલી ગૌશાળાઓનું સંચાલન, ગુરુશક્તિધામોનું બાંધકામ, આશ્રમોમાં થતા બીજા બાંધકામો, રખરખાવ, આવનાર મુલાકાતિઓને સગવડતા સાચવવા વસ્તુ વસાવવી જેવી કે સોલાર પેનલ વસાવવા માટે વગેરે માટે જો આશ્રમને સહયોગ કરવા માગતા હોય તો નીચેની લીંક પર જઈ અને તમે ઓનલાઇન google પે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરે દ્વારા દાન કરી શકો છો ઓનલાઇન ડોનેશન કરવા માટે નીચેના વાદળી બટન પર ક્લિક કરો

.

નોંધ : ઓનલાઇન ડોનેશન ફક્ત ગુરુતત્વની ઓફિસિયલ વેબસાઈટના ડોનેશન પોર્ટલ પરથી જ કરવાનો આગ્રહ રાખો જેની લીંક ઉપરના ડોનેશન લખેલા વાદળી બટન પર ક્લિક કરવાથી ખુલશે


નામકરણ

વર્તમાનમાં ગુરુદેવ દ્વારા ચાર શ્રેણીમાં નામકરણ થાય છે 1.ઘર/આવાસ 2.વ્યવસાય 3.નવજાત શિશુ તથા 4.નવવિવાહિત વધુ

જો આપ પણ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના હાથે પવિત્ર નામકરણ કરાવવા ઈચ્છતા હોય તો નીચેના ગુલાબી બટન પર પર ક્લિક કરો

ટીમ અડાજણ

Days
Hours
Minutes
Seconds

Days
Hours
Minutes
Seconds

.

પ્રાર્થના ધામ

હિમાલયન ધ્યાનયોગ પ્રાર્થના ધામ, નવસારી 24 કલાક નિ:શુલ્ક ઉપલબ્ધ હોય છે.

જીવન સમસ્યા તથા ઉપલબ્ધિઓનું મિશ્રણ હોય છે હિમાલયન ધ્યાનયોગ પ્રાર્થનાધામ સમસ્યાના સમાધાન હેતુ પ્રાર્થના સેવા પ્રદાન કરે છે આ સેવાનો લાભ વિશ્વની કોઈપણ વ્યક્તિ સ્વયમ માટે મિત્ર પરિવાર અથવા કોઈ પણ માટે લઈ શકે છે આનો શ્રેષ્ઠ લાભ લેવા હેતુ સમર્પણ ભાવથી કેવળ એકવાર પ્રાર્થના લખાવી

પ્રાર્થના માટે કૃપા કરીને નીચે દર્શાવેલ જાણકારી અવશ્ય આપો.

1. તમારું નામ

2. શહેર/ગામ

3. ઈમેલ

4. જેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે એમનું નામ, ઉંમર, સ્થાન (શહેર/ગામ)

5. તમારી/એમની સમસ્યા

તમારી પ્રાર્થના લેખિતમાં વિગત ભરીને નોંધાવવા માટે નીચેના કેસરી બટન પર ક્લિક કરો

.

આપાતકાલીન (Emergency) પ્રાર્થના


ગુરુતત્વ ટીમ કોન્ટેક્સ

Head Office
26, Gulmohar, A1 Bunglows Society,
Eru Abrama Rd, Nr. Gandhi Railway Crossing,
Navsari 396450.
Guru Tattva Office: +91 98980 11555

Gurutattva Helpline
+91 76660 25555
હિમાલયન મેડીટેશન ગુરુતત્વ વિશે કોઈ વધારે માહિતી જોઈતી હોય તો અવશ્ય ઉપરના ગુરુત્તત્વ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો

Gurutattva Email
support@gurutattva.org

Gurutattva Website
https://gurutattva.org
હિમાલયન મેડીટેશન ગુરુતત્વ વિશે કોઈ વધારે માહિતી જોઈતી હોય તો ઉપરની લીંક પર ક્લિક કરી અને ગુરુતત્વની ઓફિશિયલ વેબસાઈટની અવશ્ય મુલાકાત લો

Gurutattva Bhavan
Address : Rajkot – 360005.
Office No : 9898011555

For International
Samarpan Ashram
Long Acre
Address : Melton Rd, Hickling Pastures, Melton Mowbray LE14 3QG, United Kingdom

ગુરુતત્વ ટીમને ફોલો કરો સોશિયલ મીડિયા પર


નીચેની પોસ્ટ પણ અવશ્ય વાંચો

ध्यान (मेडीटेशन) क्या है? और ध्यान को हम कैसे करे?


આ વેબપેજનું નામ તથા એડ્રેસ

વેબસાઈટ
https://taazakhabar.preranarupee.com
વેબપેજ એડ્રેસ
https://taazakhabar.preranarupee.com/team-adajan-samarpan-surat/


આ વેબપેજને google પર સર્ચ કરવા માટે

જો કોઈ પાસે આ વેબસાઈટની લીંક ના હોય તો તે નીચે મુજબ લખીને આ વેબસાઈટને google (ગુગલ) પર સર્ચ કરી શકે છે. નીચે મુજબ લખ્યા બાદ જે પહેલો જ આર્ટીકલ દેખાય તેના પર ક્લિક કરવાથી આ આર્ટીકલ ઓપન થઈ જશે.
ગુજરાતીમાં : “ટીમ અડાજણ તાઝા ખબર”
In English : “team adajan taaza khabar”


આ વેબપેજની માહિતીનો કઈ રીતે ઉપયોગ કરવો

Team Adajan Logo
ટીમ અડાજણ
One Team, One Dream, One Mission!
Team Adajan Logo
ટીમ અડાજણ
One Team, One Dream, One Mission!
  1. આ લેખમાં તમે કોઈ ટોપિક પર માહિતી ગોતવા માંગો છો તો આખી પોસ્ટમાં ગોતવાની જરૂર નથી આ લેખમાં સૌથી ઉપરના ભાગમાં એક ટેબલ આપેલું છે તેમાં અનુક્રમણિકા આપેલી છે ત્યાં જે તે ટોપીક ઉપર પ્રેસ કરવાથી પેજ સીધું તે ટોપિક પર લઈ જશે આખું પેજ સ્ક્રોલ કરવાની જરૂર નથી જેમકે અડાજણમાં ચાલતા ધ્યાન કેન્દ્ર વિશે માહિતી જોઈએ છે તો અનુક્રમણિકામાં અડાજણમાં ચાલતા ધ્યાન કેન્દ્ર પર ક્લિક કરવાથી સીધી તે માહિતી પેજ સ્ક્રોલ થઈને પેજ પર આવી જશે, ઈમરજન્સી પ્રાર્થનાધામ માં કોલ કરવા માંગો છો તો અનુક્રમણિકામાં ઇમર્જન્સી પ્રાર્થના ધામ પર ક્લિક કરી અને પેજ સ્ક્રોલ થઈને ઈમરજન્સી પ્રાર્થના ધામ પર આવી જશે ત્યાં કોલનું બટન છે ત્યાં ક્લિક કરી અને ડાયરેક્ટ કોલ ત્યાંથી જ ડાયલ કરી શકો છો એવી જ રીતે મધુચૈતન્ય, ઓનલાઇન ડોનેશન, નામકરણ વગેરે પણ અનુક્રમણિકામાંથી જ ડાયરેક્ટ સર્ચ કરી શકો છો
  2. આ લેખમાં કોઈ પણ વ્યક્તિના નામની આગળ આ પ્રકારની ફોનની સાઇન હોય તો તે ફોનની સાઇન પર ક્લિક કરવાથી ડાયરેક્ટ તે વ્યક્તિને ત્યાંથી જ ફોનકોલ કરી શકો છો.
  3. જે તે ટોપીકની માહિતીની નીચે એક બટન આપેલું છે તે બટન પર ક્લિક કરવાથી જે તે ટોપીક ની માહિતી ડાઉનલોડ કરી શકો છો અથવા તો જે તે ટોપિક વિશેની માહિતીની લીંક ઓપન થઈ જશે જેમ કે અડાજણ માં ચાલતા ધ્યાન કેન્દ્ર અથવા બાળસંસ્કાર કેન્દ્રોની નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાથી તે સેન્ટરોના ફુલ લિસ્ટ ડાઉનલોડ થઈ જશે તેવી જ રીતે ઓનલાઇન ડોનેશન કે પ્રાર્થના ધામમાં તેમની નીચેનું બટન ક્લિક કરવાથી અનુક્રમે ઓનલાઈન ડોનેશન અને પ્રાર્થના ધામ માટેની લીંક ડાયરેક્ટ જ ઓપન થઈ જશે તો તેનો પણ ખાસ ઉપયોગ કરી શકો છો.

વેબપેજ પર આવરેલા વિવિધ વિષયો

આ ઉપરનો લેખ મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે
1.પ્રથમ ભાગમાં જે 5 જાન્યુઆરી 2025 થી 13 જાન્યુઆરી 2025 જહાંગીરપુરા સુરતમાં જે મેગા વિડીયો શિબિર નું આયોજન થયેલું હતું તેમના વિશે માહિતી તથા ફોટોગ્રાફ છે.
2.બીજા ભાગમાં ટીમ અડાજણ સુરત દ્વારા અડાજણ ઝોનમાં થતી વિવિધ સમર્પણ ધ્યાનને લગતી એક્ટિવિટી જેમ કે ધ્યાન કેન્દ્રોની માહિતી, બાળ કેન્દ્રની માહિતી, સાધના શિબિરની વગેરેની માહિતી તથા તેમની લીંક પ્રદાન કરેલી છે.
3.ત્રીજા ભાગમાં ગુરુતત્વ ટીમ સમર્પણ દ્વારા જે વિશ્વભરમાં એક્ટિવિટી થાય છે તેમના વિશે માહિતી તથા તેમની લીંક આપેલી છે. જેવી કે સમર્પણ ધ્યાનના આશ્રમોની વિગત તથા મોબાઈલ નંબર, મધુચૈતન્ય મેગેઝીન વિશે, સમર્પણ સાહિત્ય વિશે, પ્રાર્થનાધામ, ઓનલાઈન ડોનેશન, નામકરણ વગેરેની માહિતી તથા લિંક છે


લેખકનુ અનુમોદન

સૂક્ષ્મ રૂપે ઉપસ્થિત ગુરુદેવ તથા ગુરુમાતાને કોટી કોટી પ્રણામ તથા સર્વે પુણ્ય આત્માઓને મારા હ્રદયથી જય બાબા સ્વામી..

અડાજણના whatsapp ગ્રુપમાં સમર્પણ પરિવાર અડાજણ વિશે અલગ અલગ માહિતીઓ મૂકવામાં આવે છે પરંતુ આ બધી માહિતીઓ વિખરાયેલી હોય છે અને જ્યારે જરૂર હોય ત્યારે તેમાંથી સર્ચ કરવી થોડી મુશ્કેલ પડે છે તે માટે તે બધી માહિતીઓને એકત્રિત કરી અને આ વેબપેજમાં મૂકવાનો ગુરુકૃપામાં એક નાનો એવો પ્રયાસ કર્યો છે જેમાં કોઈ આપના સજેશન હોય તો અવશ્ય આવકાર્ય છે
ટીમ અડાજણ સમર્પણ વિશે કોઈ લેખ આર્ટીકલ લખવાનો પ્રિપ્લાન ન હતો. પરંતુ જ્યારે મેગાશિબિર પૂરી થઈ ત્યારે એવી એક ઈચ્છા થઈ કે વેબસાઈટ પર એક નાનો એવો ટુંકમા આના પર ન્યુઝ આર્ટીકલ લખુ કે જહાંગીરપુરામાં મેગા શિબિરનું આયોજન થયું અને સફળ રહ્યું. પરંતુ જ્યારે લખવા બેઠો ત્યારે ગુરુદેવની ઈચ્છા અથવા ગુરુશક્તિઓનું પ્રેરણાથી વધુ ને વધુ લખાવવા જ માંડ્યું તો એક મોટો બધો લેખ બની ગયો. એટલે કે મેગા શિબિરની બધી માહિતી તો આવી જ ગઈ પરંતુ આમા અડાજણમાં ચાલતી સમર્પણની બધી એક્ટિવિટીની માહિતી અને ગુરુત્ત્વની પણ વર્લ્ડવાઈડ એક્ટિવિટીની માહિતીઓ આની અંદર આવી ગઈ. હું જ્યારે સુરતમાં નવો આવ્યો ત્યારે મારી પાસે પણ સમર્પણ અડાજણ વિશે ઘણી માહિતીઓ ના આપી તથા સાધના શિબિર વગેરે એક્ટિવિટી મારા માટે નવી હતી કારણકે સૌરાષ્ટ્રમાં આશ્રમમાં આ પ્રકારની એક્ટિવિટી નથી થતી એ પછી મને આ લેખ લખવાની પ્રેરણા થઈ. એટલે આ માહિતી જે નવા સાધકો છે જેમને હમણાં જ શીબીર અટેન્ડ કરેલી છે અથવા સાધકો જુના છે પરંતુ અડાજણ સુરત માટે નવા છે તેમના માટે આ માહિતી ઉપયોગી સાબિત થશે માટે તેવા સાધકો સાથે અવશ્ય આ લેખને શેર કરો. તથા જુના સાધકો માટે પણ ઘણી ઉપયોગી માહિતીઓ આમાં ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે.

ગહન ધ્યાન અનુષ્ઠાન 2025 માં સાધના માટે જે ટાઈમ ફાળવેલો હતો એ ટાઈમ આ લેખ લખવાના ગુરુકાર્ય માટે આપવો પડ્યો એટલે જે ગુરુશક્તિઓની ઈચ્છા હોય એ આપણે પાસે કરાવી જ લે છે અને કરવું જ પડે છે. આ પ્રકારનો લેખ ક્યારેય લખેલો નથી આ તો ગુરુદેવ-ગુરુમાં તથા મારા માતાપિતાના આશીર્વાદથી લખાઈ ગયો. આ અડાજણમાં થયેલી મેગાશિબિરમાં ઘણા બધા કાર્યકર્તાઓએ ખૂબ જ દિલથી ગુરુ કાર્ય કર્યું હતું પરંતુ આમાં મારી પાસે લિમિટેડ ફોટા હતા કેમકે બાકી ના ફોટા ડીલીટ થઈ ગયેલા હતા એટલે જે મોસ્ટ ઓફ સાતમા દિવસે ફોટોગ્રાફરે ફોટા પાડ્યા હતા તેનો જ ઉપયોગ કરેલો છે અને બાકીના જે પ્રચાર કાર્યના ફોટા મા પણ અમુક જ whatsapp ગ્રુપમાં હું જોઈન છું એટલે એમાં જે ફોટો હતા એનો યુઝ કરેલો છે અને લિમિટેડ સાધકોના નામની ખબર હતી એટલે એટલા જ ફોટા અને એટલા જ સાધકોના નામ મૂકી શક્યો છુ. આ લેખની ઉપલબ્ધ માહિતીઓ મધુચૈતન્યના જુના અંકોમાંથી, સોશિયલ મીડિયા પરથી તથા અડાજણ ના જુના સાધકોને પૂછીને લખેલી છે તો તે સર્વે સાધકોનો પણ માહિતી આપવા માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર તેમની પણ ખૂબ જ આધ્યાત્મિક પ્રગતિ થાય.ઘણા બધાએ ગુરુકાર્ય કર્યું હતું પરંતુ આ લેખમા એમના નામ અથવા ફોટાનો ઉલ્લેખ પણ નહીં હોય તો તે માટે તેમની લાગણી દુભાણી હોય તો હું હૃદયથી ક્ષમા માંગુ છુ. હું સુરતમાં પણ થોડો નવો છું અને ખાસ તો સાઉથ ગુજરાત ઝોન માટે જ નવો છું એટલે માહિતીઓમાં પણ ક્યાંય લખવામાં ચૂક હોય કોઈ માહિતીમાં ભૂલ હોય તો અવશ્ય મારા ઇ-મેલ આઇડી divyesh@preranarupee.com પર ચોક્કસ કોમ્યુનિકેશન કરી શકો છો. કોઈ સાધકોને આ આર્ટિકલમાંથી પોતાનું ફોટો અથવા નામ ડીલીટ કરાવવું હોય તો પણ મેઇલ કરી શકો છો. આખો લેખ વાંચવા માટે ધન્યવાદ..જય બાબા સ્વામી..


આ વેબપેજના લેખક, એડિટર, સંકલન તથા પેજ ડિઝાઇનર

શ્રી દિવ્યેશ તન્ના
Email : divyesh@preranarupee.com


औकात मेरी आज भी कुछ नहीं है
बस बाबास्वामीने सर चढ़ा रखा है

અસ્તુ…
વેબપેજની મુલાકાત બદલ ધન્યવાદ… સૌ સાધકોને ઝાઝાથી ઘણા જય બાબા સ્વામી…

Jay Baba Swami Thank You Graphics

જય બાબા સ્વામીના આશીર્વાદથી આ બ્લોગ શક્ય બન્યો. બધાને ધન્યવાદ! 😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *